HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

ખૂની ખેલ ખેલ્યો : અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીએ આપઘાત કર્યો

Avatar photo
Updated: 05-08-2025, 03.51 AM

Follow us:

Ahmedabad Police line murder case: અમદાવાદ દાણીલીમડા પોલીસલાઈનમાં પત્નીએ માથામાં ઘોડિયાનો પાયો મારીને પતિની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ જણાવ્યું હતું કે અમે હજી ત્યાં પહોંચ્યા છીએ અને તપાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે મૃતક પોલીસકર્મચારી મુકેશભાઈ પરમાર A ડિવિઝન ટ્રાફિકમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

દાણીલીમડા પોલીસલાઇનમાં પત્નીએ પતિના માથામાં ઘોડિયાનો પાયો મારતા તે નીચે પટકાયા હતા. સામાન્ય બાબતમાં થયેલો ઝઘડો હિંસક બની ગયો હતો. પતિના માથા પર ગંભીર ઈજા થતાં પત્ની સંગીતાબેન સમસમી ઉઠ્યા હતા અને તેમણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આ સમગ્ર ઘટના બની ત્યારે દરવાજો અંદરથી બંધ હતો તે સમયે તેમનો નવ વર્ષનો દીકરો આ ઘટના જોઈ રહ્યો હતો. માતા-પિતા બંનેના મોત થયા બાદ ડરી ગયેલો દીકરાએ દરવાજો ખોલીને પાડોશીઓને સમગ્ર વાત કરી હતી.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.