HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

Ahmedabadના બાપુનગર માર્કેટમાં ભીષણ આગ: ભીડભંજન માર્કેટમાં 8 દુકાનો બળીને ખાખ

Avatar photo
Updated: 17-10-2025, 07.47 AM

Follow us:

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન માર્કેટમાં વહેલી સવારે આગ લાગતાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ. આગની શરૂઆત એક કપડાની દુકાનમાંથી થઇ અને થોડા સમયમાં આસપાસની વધુ દુકાનોમાં ફેલાઈ ગઈ. કુલ મળીને લગભગ આઠ દુકાનો આગની ઝપેટમાં આવી હતી.

જાણકારી મળતાં જ ફાયર વિભાગને તાત્કાલિક બોલાવવામાં આવ્યું. ઘટનાસ્થળે ચાર ફાયર ટ્રક પહોંચ્યાં અને આગને કાબૂમાં લેવા સતત પ્રયાસો કરવામાં આવ્યા. આગ એટલી વિકરાળ હતી કે દુકાનોમાં રાખેલું લાખો રૂપિયાનો માલ બળી ખાખ થઈ ગયો.

  • વેપારીઓએ સલામત અંતર જાળવી રાખ્યું

સદનસીબે, આ બનાવામાં કોઈ જાનહાનિ થવાની જાણ નથી. ધુમાડાની અસરથી આસપાસના લોકો અને વેપારીઓએ સલામત અંતર જાળવી રાખ્યું. પ્રાથમિક તારણ મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે.

ફાયર વિભાગ અને પોલીસ તંત્ર દ્રારા આગના સાચા કારણની તપાસ ચાલુ છે. દિવાળીના તહેવાર પહેલા આ આગ માર્કેટના વેપારીઓ માટે મોટું આર્થિક નુકસાન સાબિત થયું છે, જેના કારણે તેમની નિરાશા વધારી.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.