HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

રિવરફ્રન્ટ પર પ્રથમવાર આ ત્રણ દિવસ નવરાત્રિનું ભવ્ય આયોજન થશે

Avatar photo
Updated: 30-07-2025, 08.01 AM

Follow us:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત સાબરમતી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે A, B, C અને D એમ ચારે બ્લોક ખાતે રંગતાલી રિવરફ્રન્ટ નામે ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં સમગ્ર ત્રણ દિવસ ગરબાનું સંચાલન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપવામાં આવશે.

26થી 28 સપ્ટેમ્બર ત્રણ દિવસ સુધી ગરબા યોજાશે

26થી 28 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ગરબા રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે. ‘રંગતાલી રિવરફ્રન્ટ’ નામથી યોજાનારા ત્રણ દિવસીય ગરબાનું આયોજન કરવા માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. સૌપ્રથમ વખત યોજાનારા ગરબા થીમ બેઝ હશે.

ટૂંક સમયમાં ટિકિટના દર જાહેર કરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં ટિકિટના દર અને ફૂડ સ્ટોલ વગેરે માટેના દરની જાહેરાત કરવામાં આવશે. ટિકિટ માત્ર ઓનલાઈન જ મળે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

નવરાત્રિમાં ગરબા રમવા જતા ખેલૈયાઓને પાર્કિંગ, સિક્યુરિટી અને ખાણીપીણી સહિતની સુવિધાઓની જરૂર હોય છે. જેથી આ તમામ સુવિધાઓ પણ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવશે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.