HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જતા 3 બાળકના મોત

Avatar photo
Updated: 17-07-2025, 10.40 AM

Follow us:

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે આજે સવારના સમયે એક હૃદયદ્રાવક ઘટના સર્જાઈ હતીબાળકો રમતાં રમતાં તળાવમાં ન્હાવા ઉતર્યા હતા, પરંતુ અચાનક ઊંડા પાણીમાં પહોંચી જતા ડૂબી ગયા હતા.

ઘટના જોતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત તરવૈયાઓની મદદથી બચાવ કાર્ય શરૂ કરાયું હતું. લાંબી શોધખોળ બાદ મૃતદેહો મળી આવ્યા હતા. મૃત બાળકોમાં ભાવેશ ડાંગી (ઉંમર 6), હિતેશ ડાંગી (ઉંમર 8) અને નીતેષ માવી (ઉંમર 7)નો સમાવેશ થાય છે. જેમાંથી ભાવેશ અને હિતેશ સગા ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.

ત્રણ બાળકોની મોત

હાલમાં ત્રણે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ત્રણ બાળકોના અકાળે વિદાય લેતા પરિવાર પર દુઃખનો પર્વત તૂટી પડ્યો છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.