GUJARAT

ગુજરાતમાં ભરઊનાળે ચોમાસાનો થશે અનુભવ, જાણો ક્યાં પડશે ધોધમાર વરસાદ : અંબાલાલ પટેલે કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે,અંબાલાલ પટેલનું માનવું છે કે,આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે,રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં 30 એપ્રિલથી 11 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે,10-11મે એ આંધી અને વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં પડી શકે છે કમોસમી : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું કહેવું છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે,તો બીજી તરફ ઉત્તર, મધ્ય ગુજરાતમાં વાતાવરણ વધુ પલટવાની આગાહી કરવામાં આવી છે,સૌરાષ્ટ્ર ,કચ્છ અને દ.ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે સાથે સાથે 30 એપ્રિલ બાદ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે.

પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન 33 ડિગ્રી સુધી રહી શકે છે તો 27-30 એપ્રિલ દરમિયાન ભારે પવન આંધી વંટોળનું પ્રમાણ રહેશે,તો ૧૪ એપ્રિલથી બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે તેમજ 27 એપ્રિલથી ગરમીનું પ્રમાણ વધશે અને મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સુધી જઈ શકે છે,મે માસમાં વાવાઝોડા બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રમાં ત્યારબાદ વાવાઝોડા સક્રિય થશે.મે માસ માં મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી સુધી જઈ શકે છે.

કચ્છમાં 40 ડિગ્રી સુધી મહતમ તાપમાન નોંધાશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,મધ્ય ગુજરાત અમદાવાદ ,ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, સહિત 41 ડિગ્રી સુધી ગરમી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ સહિતના વિસ્તારોમાં 42 ડિગ્રી સુધી ગરમી રહી શકે છે,સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત 39 થી 40 ડિગ્રી રહેશે તો અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે એપ્રિલમાં ગરમી આકરી પડશે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button