લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

એક વર્ષમાં 497 પીડીત મહિલાઓએ પીબીએસસી હેલ્પલાઈનની મદદ માગી | 497 aggrieved women sought help from PBSC helpline in one year

by

Thenewsdk

Updated: 28-05-2026, 07.50 AM

Follow us:

એક વર્ષમાં 497 પીડીત મહિલાઓએ પીબીએસસી હેલ્પલાઈનની મદદ માગી | 497 aggrieved women sought help from PBSC helpline in one year



તાત્કાલિક સહાયતા, કાઉન્સેલીંગ અને માર્ગદર્શન

ઘરેલું હિંસા, અત્યાચાર અને કાયદાકીય પ્રશ્નોમાં ત્વરિત સહાયતા મહિલાઓને
મળી રહી છ

ભાવનગર –  મહિલા અને બાળ વિકાસ
વિભાગ
, ગાંધીનગર તથા ગૃહ વિભાગના સંયુક્ત ઉપક્રમે પીડિત મહિલાઓને ત્વરિત સહાયતા,
માર્ગદર્શન અને સુરક્ષાત્મક આધાર ઉપલબ્ધ થાય તે હેતુસર રાજ્યમાં
પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર  યોજના
અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન નવાપરા, ભાવનગર
તેમજ મહુવા સીટી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહાયતા કેન્દ્રો કાર્યરત છે. આ બંને
કેન્દ્રો પીડિત મહિલાઓ માટે વિશ્વાસ
, સહારો અને ન્યાયનું
સશક્ત માધ્યમ બની રહ્યાં છે.

મહિલા સહાયતા કેન્દ્ર ખાતે પીડિત મહિલાઓ પાસેથી અરજી સ્વીકારી તેમના તેમજ
સામા પક્ષ સાથે વ્યક્તિગત અને જૂથ બેઠકો યોજી સંવેદનશીલ અભિગમ સાથે સમસ્યાના
નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવે છે. નારીવાદી અભિગમથી કાર્યરત આ કેન્દ્રોમાં
પીડિતાની લાગણી
, સુરક્ષા અને અપેક્ષાને કેન્દ્રસ્થાને રાખીને સમાધાન માટે
પ્રયત્ન કરવામાં આવે છે. જરૃરિયાત મુજબ કાયદાકીય માર્ગદર્શન તથા અન્ય સંસ્થાકીય
સહાયતા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.મહિલા સહાયતા કેન્દ્રો દ્વારા કિશોરીઓ અને
મહિલાઓને શારીરિક
, માનસિક, ભાવનાત્મક
તથા જાતીય હિંસા જેવા સંવેદનશીલ કેસોમાં કાઉન્સેલીંગ દ્વારા સહાયતા પૂરી પાડવામાં
આવે છે. ઉપરાંત પ્રિ-મેરેજ અને પોસ્ટ-મેરેજ કાઉન્સેલીંગ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ
કરવામાં આવી રહી છે.આમ
, ભાવનગર જિલ્લાના મહિલા સહાયતા
કેન્દ્રો પીડિત મહિલાઓ માટે માત્ર સહાયતા કેન્દ્ર નહીં પરંતુ આત્મવિશ્વાસ
, સુરક્ષા, ન્યાય અને નવી આશાનું વિશ્વાસપાત્ર કેન્દ્ર
બની સમાજમાં મહિલા સશક્તિકરણના પ્રયાસોને વધુ મજબૂત બનાવી રહ્યા છે.

એક વર્ષમાં ૨૪૯ અરજીઓમાં સફળ અને સુખદ સમાધાન

એપ્રિલ-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૬ દરમિયાન આ બંને કેન્દ્રોમાં કુલ ૪૯૭ નવી અરજીઓ
પ્રાપ્ત થઈ હતી. જેમાંથી ૨૪૯ અરજીઓમાં સફળ અને સુખદ સમાધાન કરવામાં આવ્યું છે.
ઉપરાંત ૬૮ અરજીઓને જરૃરી અનુસંધાને અન્ય વિભાગો તથા સંસ્થાઓમાં રીફર કરવામાં આવી
છે
, જ્યારે ૧૨૦ અરજીઓ વિવિધ કારણોસર બંધ કરવામાં આવી છે. હાલ ૬૦ અરજીઓમાં
કાઉન્સેલીંગ પ્રક્રિયા કાર્યરત છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤