લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ગીર સોમનાથ: મધ્યાહન ભોજનની દાળમાં ફૂગ નીકળતા વાલીઓમાં ભારે રોષ, બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

by

Thenewsdk

Updated: 30-06-2026, 04.30 PM

Follow us:

ગીર સોમનાથ: મધ્યાહન ભોજનની દાળમાં ફૂગ નીકળતા વાલીઓમાં ભારે રોષ, બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં



મહેશ ડોડિયા, ગીર સોમનાથગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નગડિયા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં બાળકોને પીરસવામાં આવતી તુવેર દાળમાં ફૂગ જોવા મળતા વાલીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે. માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આ ખિલવાડને પગલે વાલીઓએ જ્યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાએ સમગ્ર તંત્રની કાર્યપદ્ધતિ પર અનેક સવાલો ઊભા કર્યા છે.
ફૂગવાળી દાળનો જથ્થો પકડાયા બાદ ગ્રામજનોની લાલ આંખઘટનાની જાણ થતા જ વાલીઓ અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં શાળાએ એકત્રિત થઈ ગયા હતા. ગ્રામજનોએ આ મામલે મામલતદાર અને પુરવઠા વિભાગને સખત રજૂઆત કરી હતી. પુરવઠા વિભાગના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં શાળામાં પહોંચાડવામાં આવેલી 10 બોરી તુવેર દાળમાંથી 1 બોરીમાં ફૂગ હોવાનું સામે આવ્યું છે. આટલી ગંભીર બેદરકારી સામે આવતા લોકોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે બાળકોને પીરસતા પહેલા શું રસોડાના કર્મચારીઓ કે જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતી નથી?
પુરવઠા વિભાગની તપાસ અને જવાબદારી પર સવાલોસમગ્ર મામલે નાયબ મામલતદાર સહિતની અધિકારીઓની ટીમ નગડિયા ગામે પહોંચી તપાસ હાથ ધરી છે. પુરવઠા વિભાગની ટીમે બાકીના જથ્થાની તપાસ માટે વિશેષ ટીમ મોકલી છે. જોકે, આ ઘટનાએ ગોડાઉન મેનેજમેન્ટ અને સંગ્રહ વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે. શું ગોડાઉનમાં જથ્થાના સંગ્રહમાં ગંભીર ખામી હતી કે પછી સપ્લાય સમયે જ ખરાબ દાળ મોકલવામાં આવી હતી? આવા અનેક સવાલોને લઈને હાલમાં પુરવઠા વિભાગ લોકોના ભારે રોષનો સામનો કરી રહ્યું છે.
મધ્યાહન ભોજનની ગુણવત્તા સામે ઊભા થયેલા ગંભીર પ્રશ્નોનિર્દોષ બાળકોના આરોગ્ય સાથે થયેલી આ રમતને લઈને ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, તેઓ બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં. બાળકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળે તે સરકારની જવાબદારી છે, પરંતુ અહીં તંત્રની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ ઘટનાએ મધ્યાહન ભોજન યોજનાની સમગ્ર દેખરેખ અને ગુણવત્તા તપાસની પ્રક્રિયા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક નિયમો અને નિયમિત તપાસ અનિવાર્ય બની છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/Facebook: https://www.facebook.com/tv13gujarati/ Youtube: https://www.youtube.com/@tv13gujaratidigitalTwitter : https://x.com/tv13gujaratiInstagram : https://instagram.com/tv13gujaratilinkedin : https://www.linkedin.com/company/9095…WhatsApp Channel :  https: //whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U WhatsApp Group :  https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.