અમેરિકાની મલ્ટીનેશનલ કંપની પેપ્સિકોની પૂર્વ CEO અને ભારતીય મૂળની ઈન્દિરા નૂઈએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ભારત, અમેરિકા અને ચીનની કાર્ય પદ્ધતિ તથા વિકાસ મોડેલ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે જણાવ્યું કે જો તેઓ ભારતમાં જ રહ્યા હોત તો કદાચ પેપ્સિકો જેવી વૈશ્વિક કંપનીના CEO બનવાની તક તેમને ન મળી હોત.
ભારતમાં હજુ પણ કાર્ય પદ્ધતિમાં અનેક પડકારો
તેમના મતે અમેરિકા પ્રતિભા અને યોગ્યતાના આધારે લોકોને આગળ વધવાની સમાન તક આપે છે, જ્યારે ભારતમાં હજુ પણ કાર્ય પદ્ધતિમાં અનેક પડકારો છે. નૂઈએ કહ્યું કે અમેરિકા એવી વ્યવસ્થા ધરાવે છે જ્યાં પ્રતિભાને યોગ્ય માન્યતા મળે છે અને એક પ્રવાસી પણ પોતાની ક્ષમતાના આધારે ટોચના પદ સુધી પહોંચી શકે છે. સાથે જ તેમણે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધોની જરૂરિયાત પર ભાર મૂક્યો.




Leave a Comment