લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the AI ​​sector foreign companies will dominate the market

by

Thenewsdk

Updated: 14-06-2026, 06.30 AM

Follow us:

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the AI ​​sector foreign companies will dominate the market



photo 1781366002010

અમદાવાદ : દેશમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ (એઆઈ) ક્ષેત્ર માં રોકાણ વધ્યું છે, પરંતુ ઇન્ફોસિસના ભૂતપૂર્વ મુખ્ય નાણાકીય અધિકારી મોહનદાસ પાઈ કહે છે કે સ્થાપિત અને સ્થાપિત વ્યવસાયોએ આ ઉભરતી ટેકનોલોજીમાં ભારે રોકાણ કરવાની જરૂર છે, નહીં તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો કરશે.

તેમણે કહ્યું હતું કે ભારતની ટોચની ૧૦ કંપનીઓએ એઆઈમાં ભારે રોકાણ કરવાની જરૂર છે, કારણ કે એઆઈ તેમના વ્યવસાયો માટે ખતરો ઉભો કરી શકે છે. તેઓ બધા ચિંતિત છે અને તેમને વધુ નાણાં રોકાણ કરવાની જરૂર છે. આપણે નવીનતા માટે વધુ નાણાં ફાળવવાની જરૂર છે.

દેશમાં સંશોધન અને વિકાસમાં રોકાણ અંગે, પાઈએ કહ્યું કે જ્યારે સરકાર તેના કુલ સ્થાનિક ઉત્પાદનના આશરે ૦.૭ ટકા ખર્ચ કરે છે, ત્યારે આ ખર્ચ આશરે ૩ થી ૪ ટકા સુધી વધારવો જોઈએ. ખાનગી ક્ષેત્ર એ પણ સંશોધન અને વિકાસમાં પોતાનું રોકાણ વધારવું જોઈએ. જ્યારે વૈશ્વિક સ્તરે ઘણા બધા હોરિઝોન્ટલ એઆઈ ટૂલ્સ અને એપ્લિકેશનો ઉપલબ્ધ છે, ત્યારે વટકલ એઆઈ દેશ માટે વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

ટીસીએસ, ઇન્ફોસિસ અને અન્ય મોટી કંપનીઓએ વર્ટિકલ એઆઈમાં રોકાણ કરવાની જરૂર છે. આ કંપનીઓ મોટા પાયે એઆઈ પ્લેટફોર્મ બનાવવામાં અબજો ડોલરનું રોકાણ કરી શકે છે, પરંતું તેઓ આ ક્ષેત્રમાં અમેરિકન મોટી ટેક કંપનીઓના વર્ચસ્વ સાથે સ્પર્ધાકરી શકવાની સ્થિતિમાં નથી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤