લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Energy Drinks Sting will not be sold within 500 meters of schools this is an important decision of the state | Gujarat News

by

Thenewsdk

Updated: 03-07-2026, 05.06 PM

Follow us:

Energy Drinks Sting will not be sold within 500 meters of schools this is an important decision of the state | Gujarat News


મહારાષ્ટ્ર સરકારે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે શાળાઓના 500 મીટરની અંદર “સ્ટિંગ” એનર્જી ડ્રિંકના વેચાણ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ખાદ્ય મંત્રી નરહરિ ઝિરવાલે વિધાનસભામાં આ જાહેરાત કરતા કહ્યું કે ટૂંક સમયમાં વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવશે અને નિયમોનો કડક અમલ કરવામાં આવશે.

એનર્જી ડ્રિંકનો વધી રહ્યો છે વપરાશ 

સરકાર જણાવે છે કે બાળકો અને યુવાનોમાં એનર્જી ડ્રિંકનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે, જેની તેમના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ જ કારણ છે કે શાળાઓ નજીક સ્ટિંગના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલન સુનિશ્ચિત કરવા માટે દેખરેખ પણ વધારવામાં આવશે.

FSSAI એ ફટકારી નોટિસ 

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશની ટોચની ખાદ્ય નિયમનકારી સંસ્થા, FSSAI એ પણ એનર્જી ડ્રિંક કંપનીઓ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. 1 જુલાઈના રોજ, FSSAI એ રેડ બુલ, પેપ્સિકોની એડ્રેનાલિન રશ, રિલાયન્સની કેમ્પા એનર્જી ગોલ્ડ બૂસ્ટ, સ્ટિંગ, હેલ એનર્જી અને કોકા-કોલા સમર્થિત મોન્સ્ટર એનર્જી સહિત છ મુખ્ય બ્રાન્ડ્સને નોટિસ ફટકારી હતી. આ કંપનીઓ પર તેમના ઉત્પાદનોનું ગેરમાર્ગે દોરનારું બ્રાન્ડિંગ કરવાનો અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા દાવા કરવાનો આરોપ છે.

એનર્જી ડ્રિંક્સના દાવા પર વાંધો 

FSSAIનું કહેવુ છે કે ભારતમાં હાલમાં એનર્જી ડ્રિંકની કોઇ સત્તાવાર ખાદ્યશ્રેણી નક્કી કરવામાં આવી નથી. તેમ છતાં કંપનીઓ તે શ્રેણી હેઠળ વેચી રહી છે. શરીર અને માઇન્ડને ઊર્જા આપનારી, ફોકસ વધારે, નબળાઇ દૂર કરે અને એનર્જી લેવલ વધારે તેવા દાવાઓ પર પણ વાંધો વ્યક્ત કર્યો છે. આ મુજબ ખાદ્ય ઉત્પાદનો માટે આ પ્રકારના સાયન્ટિફિક દાવા કાયદાને અનુરૂપ નથી. 

નિષ્ણાંતો એનર્જી ડ્રિંક્સ ગણાવે છે જોખમી 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો પર લાંબા સમયથી એનર્જી ડ્રિંક્સને લઇને ચિંતા વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે તેમાં રહેલુ કેફીન અને ખાંડની વધારે માત્રા શરીરને વાસ્તવિક ઉર્જા આપતી નથી. પરંતુ તે થોડા સમય માટે થાકને દબાવી દે છે. તેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી બાળકો અને યુવાનોમાં હૃદયની સમસ્યા, ઉંઘ ન આવવી તથા બેચેની અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી જોખમ ઉભા કરી શકે છે. 
આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ 



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤