HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

પ્રિયંકા ગાંધીએ પહેલગામમાં મૃત્યુ પામેલા લોકોને ભારતીય કહ્યા, તો ભાજપ સાંસદ બોલ્યા – તે હિન્દુ હતા

Avatar photo
Updated: 29-07-2025, 11.49 AM

Follow us:

આજે સંસદના ચોમાસા સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ રહી છે. ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી હતી. જ્યારે તેમણે પહેલગામમાં મોતને ભેટેલા લોકોને ભારતીય કહ્યા, ત્યારે લોકસભામાં શાસક પક્ષ તરફથી હોબાળો થયો હતો.

ભાજપના સાંસદોએ મૃત્યુ પામેલા લોકો વિશે કહ્યું કે, તેઓ હિન્દુ છે, પરંતુ પ્રિયંકા વારંવાર કહેતી રહી કે, તેઓ ભારતીય છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, બૈસરન ખીણમાં 25 ભારતીયો માર્યા ગયા છે. તેમના માટે કોઈ સુરક્ષા નહોતી.

આ દરમિયાન, ભાજપના સાંસદોએ તેમને અટકાવીને કહ્યું કે, તેઓ હિન્દુ હતા. શાસક પક્ષે હિન્દુ-હિન્દુના નારા લગાવ્યા, જ્યારે વિપક્ષે ભારતીય-ભારતીયના નારા લગાવ્યા હતા. તે જ સમયે, પ્રિયંકાએ લોકસભામાં માર્યા ગયેલા તમામ 25 લોકોના નામ પણ બોલ્યા હતા.

પહેલગામ હુમલો કેવી રીતે અને શા માટે થયો?: પ્રિયંકા ગાંધી

તેમણે કહ્યું કે, ‘હું આ ગૃહમાં તે 25 ભારતીયોના નામ વાંચવા માંગુ છું, જેથી અહીં બેઠેલા દરેક સભ્યને ખ્યાલ આવે કે તેઓ પણ આપણા જેવા માણસ હતા, રાજકીય શતરંજના પ્યાદા નહોતા. તેઓ પણ આ દેશના પુત્ર હતા.

તેઓ પણ આ દેશના શહીદ છે. આપણા બધાની તેમના પરિવારો પ્રત્યે જવાબદારી છે, તેમને સત્ય જાણવાનો અધિકાર છે.’ કોંગ્રેસના સાંસદે કહ્યું કે, ‘ગઈકાલે સંરક્ષણ મંત્રીએ 1 કલાકનું ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે ઘણી વાતો કહી, પરંતુ એક વાત છોડી દેવામાં આવી હતી.

જ્યારે 22 એપ્રિલ 2025 ના રોજ 26 દેશવાસીઓ માર્યા ગયા, તો પછી આ હુમલો કેવી રીતે અને શા માટે થયો? હું પૂછવા માંગુ છું કે, દેશના નાગરિકોની સુરક્ષા માટે કોણ જવાબદાર છે? શું આ દેશના વડાપ્રધાનની નથી? શું આ દેશના ગૃહ મંત્રીની નથી? શું આ દેશના સંરક્ષણ મંત્રીની નથી? શું આ દેશના NSA ની વાત નથી?’

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.