લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Did Hrithik Roshan give Sussanne Khan an alimony of Rs 400 crore after divorce The truth came out after years | Gujarat News

by

Thenewsdk

Updated: 03-07-2026, 12.27 PM

Follow us:

Did Hrithik Roshan give Sussanne Khan an alimony of Rs 400 crore after divorce The truth came out after years | Gujarat News


ઋતિક રોશને ડિસેમ્બર 2000 માં સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા. આ એ જ વર્ષ હતું જ્યારે ઋતિકની ડેબ્યુ ફિલ્મ રિલીઝ થઈ અને તે સુપરસ્ટાર બની ગયો. જો કે, બંનેનો સંબંધ લાંબો ન ચાલ્યો અને વર્ષ 2014 માં બંને અલગ થઈ ગયા હતા. ઋતિક અને સુઝેનના છૂટાછેડા પર એવા કેટલાય સમાચાર સામે આવ્યા, જેમાં કહેવામાં આવ્યું કે સુઝેન ખાને 400 કરોડનું ભરણપોષણ લીધું છે. હવે વર્ષો પછી સુઝેન ખાનની બહેન ફરાહ ખાન અલીએ આ સમાચારો પર મૌન તોડ્યું છે અને 400 કરોડના ભરણપોષણના સમાચારોને ફગાવી દીધા છે. ફરાહ ખાને કહ્યું કે આ બધા સમાચાર નકામા છે.

ફરાહ ખાન અલીનો ખુલાસો

જ્વેલરી ડિઝાઇનર ફરાહ ખાન અલીએ સુઝેન ખાન અને ઋતિક રોશનના છૂટાછેડા પર 400 કરોડના ભરણપોષણના સમાચારોને ખોટા ગણાવ્યા છે. તેણે સાફ કહ્યું કે સુઝેને કોઈ પૈસા નથી લીધા અને પૂરી ગરિમા સાથે અલગ થઈ છે, આ જ કારણ છે કે આજે પણ તેના પોતાના એક્સ-હસબન્ડ ઋતિક સાથે સારા સંબંધો છે.

સુઝેન-ઋતિકના છૂટાછેડા પર બોલી બહેન ફરાહ ખાન

જ્યારે સુઝેન ખાન અને ઋતિક રોશનના છૂટાછેડા થયા, તે સમયે ફરાહ ખાન પોતે પણ DJ અકીલથી અલગ થઈ રહી હતી. તે સમયને યાદ કરતા તેણે વિક્કી લાલવાનીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, 2012 માં અકીલ સાથે મારી મુશ્કેલીઓ શરૂ થઈ. હું મારા માતા-પિતાને જણાવવા માગતી હતી, પરંતુ 2012 માં સુઝેનની ઋતિક સાથે મુશ્કેલીઓ ચાલી રહી હતી અને તેણે મારા પહેલાં જ પોતાના માતા-પિતાને જણાવી દીધું હતું. તેથી હું પણ એ જ રસ્તે ચાલીને એવું નહોતી કહી શકતી કે મારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. તેથી મેં ચૂપ રહેવાનો અને કંઈ ન કહેવાનો નિર્ણય કર્યો કારણ કે તે સમયે સુઝેન, ઋતિક અને પૂરી દુનિયામાં ઘણો ડ્રામા ચાલી રહ્યો હતો. તેથી, મેં સુઝેન-ઋતિક વાળી વાતને પસાર થઈ જવા દીધી અને પછી 2016 માં મારા માતા-પિતાને જણાવ્યું. મને લાગે છે કે તેમના છૂટાછેડા 2014 માં થયા હતા. 2016 માં મેં મારા માતા-પિતાને જણાવ્યું.

સુઝેન ખાને 400 કરોડનું ભરણપોષણ લીધું?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ઋતિક-સુઝેનના છૂટાછેડા પર સંજય અને ઝરીન ખાનનું શું રિએક્શન હતું, તો તેણે કહ્યું, હંગામો થયો. દરેક વ્યક્તિ સદમામાં હતી. ખુબ હંગામો થયો. તેમની પર્સનલ લાઈફ વિશે લોકોના બહુ બધા અભિપ્રાયો હતા પરંતુ મને લાગે છે કે તે બંનેએ આને સુંદરતાથી સંભાળ્યું. એક વાત જે હું રેકોર્ડ પર કહેવા માગું છું, તે એ છે કે ક્યારેય પણ 400 કરોડ રૂપિયાનું ભરણપોષણ નહોતું અને જ્યારે હું લોકોને ઓનલાઇન એવું કહેતા જોઉં છું કે 400 કરોડ રૂપિયાનું ભરણપોષણ લીધું છે અને સુઝેન અમીર થઈ ગઈ, તો મને ખુબ દુખ થાય છે. મારો મતલબ છે કે આ બિલકુલ જૂઠ છે. મારી બહેને કંઈ જ નથી લીધું. ત્યારે જ તો આજે તેનો પોતાના એક્સ હસબન્ડ ઋતિક અને સાસરી પક્ષના લોકો સાથે સારો સંબંધ છે. તે બધા સુઝેનને પ્રેમ કરે છે. સુઝેન ગોલ્ડ ડિગર નથી. તમારે પ્રેસ માટે તમારા લગ્નને મોટું સ્વરૂપ આપવાની જરૂર નથી. આમાં કોઈ ભરણપોષણ નહોતું. આ સમાચાર ખોટા છે અને પૂરી રીતે ખરાબ છે.

આ પણ વાંચો-TMKOC : ‘ગલે મિલ યાર…’જ્યારે દિલીપ જોશીના ફેન બની ગયા હતા ગોવિંદા, કર્યા હતા ભરપૂર વખાણ!



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤