લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

by

Thenewsdk

Updated: 22-06-2026, 02.43 PM

Follow us:

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships



photo 1782119372139

What to Gift to Other Person?: જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ભેટ અને દાન બંનેનું વિશેષ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. જોકે, આ બંને વસ્તુઓની આપ-લે પાછળનો હેતુ તદ્દન અલગ હોય છે. દાન સામાન્ય રીતે ગ્રહોની શાંતિ, દોષ નિવારણ અને પુણ્ય કમાવવા માટે કરવામાં આવે છે; જ્યારે ભેટની આપ-લે કોઈ ખાસ ઉત્સવ, ખુશીના પ્રસંગે કે વ્યક્તિ પ્રત્યે સન્માન અને લાગણી વ્યક્ત કરવા માટે થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભેટ પસંદ કરતી વખતે અને આપતી વખતે કેટલીક ખાસ સાવધાની રાખવી અનિવાર્ય છે. ખોટી વસ્તુ અથવા ખોટા રંગના પેકિંગ પેપરમાં આપેલી ભેટ તમારા મજબૂત સંબંધોને પણ બગાડી શકે છે, જ્યારે સાચી ભેટ નસીબ ચમકાવી શકે છે.

ભેટની આપ-લે કરતી વખતે આટલું ખાસ ધ્યાનમાં રાખો

નિયમિત વપરાશની વસ્તુઓ: ભેટમાં હંમેશા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ આપવી વધુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

સજાવટી સામાનથી બચો: ઘર સુશોભનની વસ્તુઓ શક્ય હોય ત્યાં સુધી ઓછી ભેટ આપવી જોઈએ.

સૌંદર્ય પ્રસાધનો: શૃંગાર અથવા કોસ્મેટિક્સની સામગ્રી માત્ર અત્યંત નજીકની વ્યક્તિ કે સંબંધીને જ આપવી હિતાવહ છે.

ગિફ્ટ રિસાયકલ ન કરો: એક વ્યક્તિ પાસેથી મળેલી ભેટ ક્યારેય બીજી વ્યક્તિને પાસી ન આપવી જોઈએ.

પ્રેમ સંબંધોમાં મનાઈ: લવ લાઈફમાં ક્યારેય કાચની વસ્તુઓ કે તાજમહેલની પ્રતિકૃતિ ભેટમાં ન આપવી, તે સંબંધોમાં તૂટ અથવા નકારાત્મકતા લાવી શકે છે.

દેવી-દેવતાઓની મૂર્તિઓ: પૂરતી જાણકારી વગર કોઈને પણ ભગવાનની મૂર્તિ કે ફોટો ભેટમાં આપવાનું ટાળવું જોઈએ, કારણ કે તેની યોગ્ય જાળવણી ન થાય તો દોષ લાગે છે.

વાસ્તુ મુજબ આ 4 ભેટ માનવામાં આવે છે અત્યંત શુભ

જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ છે, જેને ભેટમાં આપવાથી કે મેળવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે:

ચાંદીની વસ્તુઓ: ચાંદીનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે છે. ચાંદીનો સિક્કો કે વાસણ ભેટમાં મળવાથી માનસિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિ આવે છે.

7 દોડતા ઘોડાનું ચિત્ર: સાત સફેદ દોડતા ઘોડાની તસવીર કે મૂર્તિ ભેટમાં આપવી ખૂબ જ શુભ છે. તે કરિયર અને બિઝનેસમાં પ્રગતિ કરાવે છે.

માટીના વાસણો/શોપીસ: માટીમાંથી બનેલી કલાત્મક વસ્તુઓ ભેટમાં મળવાથી અટકેલા નાણાં પરત મળે છે અને જીવનમાં સ્થિરતા આવે છે.

લાફિંગ બુદ્ધા: લાફિંગ બુદ્ધા કે ફેંગશુઈની વસ્તુઓ જાતે ખરીદવાને બદલે જો કોઈની તરફથી ભેટમાં મળે, તો તે ઘરમાં આર્થિક સંપન્નતા લાવે છે.

આ પણ વાંચો: કર્ક-તુલા સહિત આ 3 રાશિના જાતકો માટે 61 દિવસ ‘લકી’! અટકેલાં કામ પૂરાં થશે; ધનલાભના યોગ

સંબંધ અને હેતુના આધારે પસંદ કરો પરફેક્ટ ગિફ્ટ

તમે કોને અને કયા પ્રસંગે ભેટ આપી રહ્યા છો, તેના આધારે વસ્તુની પસંદગી કરો:

વડીલો કે પૂજનીય વ્યક્તિ માટે: કોઈપણ વરિષ્ઠ વ્યક્તિ અથવા ગુરુતુલ્ય વ્યક્તિને હંમેશા પેન અથવા પુસ્તક ભેટમાં આપવું જોઈએ.

પ્રેમ સંબંધોમાં: પાર્ટનરને સુગંધિત પરફ્યુમ, સુંદર વસ્ત્રો અથવા આકર્ષક ફૂલોની ભેટ આપવી શ્રેષ્ઠ રહેશે.

લગ્ન પ્રસંગે: લગ્નના પવિત્ર અવસરે કપડાં, ઘરવખરીનો સામાન અથવા મીઠાઈ આપવાનો રિવાજ શુભ ફળ આપે છે.

સંતાનપ્રાપ્તિના સમયે: ઘરમાં બાળકના જન્મ પ્રસંગે ચાંદીની કોઈ નાની વસ્તુ (જેમ કે ચમચી, સાંકળા કે સિક્કો) અચૂક ભેટ આપવી.

પતિ-પત્ની માટે: લાઈફ પાર્ટનર વચ્ચે એકબીજાને ઘડિયાળ ભેટમાં આપવી ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.

મિત્રતામાં: મિત્રોને હંમેશા ચોકલેટ અથવા મ્યુઝિક સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ ગિફ્ટ કરવી જોઈએ.

સંબંધો સુધારવા માટે: જો કોઈ વ્યક્તિ સાથે સંબંધો બગડ્યા હોય અને તેને ફરી સુધારવા હોય, તો તેને સુગંધિત મીણબત્તી અથવા ઘડિયાળ ભેટમાં આપો.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤