લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

કોલેજોમાં 15 જૂનથી પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય શરૃ કરાશે | academic work of the first semester will begin in colleges from June 15

by

Thenewsdk

Updated: 04-06-2026, 07.15 AM

Follow us:

કોલેજોમાં 15 જૂનથી પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય શરૃ કરાશે | academic work of the first semester will begin in colleges from June 15



શિક્ષણ વિભાગે વર્ષ ૨૬-૨૭નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું

૫ થી ૨૫ નવે. દિવાળી વેકેશન અને ૨૭ એપ્રિલ થી ૧૪ જૂન ઉનાળુ વેકેશન, બન્ને
સત્રના શિક્ષણ દિવસો ૨૩૩ રહેશે

ભાવનગર –  ઉચ્ચ શિક્ષણ
વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટી માટે વર્ષ ૨૬-૨૭ના એકેડેમિક કેલેન્ડર જાહેર
કરાયું જેમાં પ્રથમ સત્ર ૧૫ જૂનથી અને દ્વિતિય સત્ર ૩ ડિસેમ્બરથી શરૃ થશે. જ્યારે
દિવાળી વેકેશન ૨૧ દિવસનું અને ઉનાળુ વેકેશન ૪૯ દિવસનું જાહેર કરાયું છે. તો
શિક્ષણના દિવસો બન્ને સત્રના મળી ૨૩૩ થવા પામે છે.

શિક્ષણ વિભાગ હેઠળની સરકારી યુનિવર્સિટીઓ માટે યુજીસીના નિયમો મુજબ મેડિકલ, ઇજનેરી,
ફાર્મસી અને પ્રોફેશનલ કોર્ષ સિવાયના અભ્યાસક્રમો માટે કોમન
એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું છે. જેમાં તા.૧૫ જૂનથી પ્રથમ સત્રનું યુજી સેમ.
૩-૫ અને પીજી સેમ-૩ માટે શિક્ષણ કાર્ય શરૃ કરાશે. ૧૨૦ દિવસ એટલે કે ૨ ડિસેમ્બર
સુધી ચાલશે. તો પ્રથમ સત્ર યુજી સેમ-૧-૭ અને પીજી સેમ-૧ માટે ૧-૭ થી શરૃ થશે. તો
૮-૧૦ થી ૨-૧૨ દરમિયાન આંતરિક યુનિ. પરીક્ષાઓ પૂર્ણ કરાયા બાદ ૫-૧૧ થી ૨૫-૧૧ સુધી
૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે. જ્યારે ૩-૧૨ થી તા.૨૬
૪-૨૭ સુધી દ્વિતિય સત્ર યુજી સેમ. ૨, , , ૮ તથા પીજી સેમ. ૨, ૪ માટે
રહેશે. તો. તા.૨૫-૩ થી ૨૬-૪-૨૭ સુધીમાં યુનિ.ની આંતરિક પરીક્ષાઓ પૂર્ણ કરી દ્વિતિય
સત્ર પૂર્ણ થશે અને તા.૨૭-૪ થી ૧૪-૬ ૪૯ દિવસનું ઉનાળુ વેકેશન કોલેજો માટે અને ૧૧-૫
થી ૧૪-૬ એમ ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન યુનિવર્સિટી માટે જાહેર કરવામાં આવ્યું છે. આ
સાથે યુનિવર્સિટીએ ૬ દિવસના અઠવાડિયા મુજબ શૈક્ષણિક કામગીરી થઆય તે સુનિશ્ચિત કરવા
તથા યુનિવર્સિટી માટે વેકેશન ૮ અઠવાડિયાનું અને કોલેજો માટે વેકેશન ૧૦ અઠવાડિયાનું
નિયત કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટીમાં શિક્ષણ, પરીક્ષા અને પરિણામની નિયમિતતા મહત્ત્વની

ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે એકેડેમિક કેલેન્ડર જાહેર કરે ચે. પરંતુ
જીકાસ એડમીશન પ્રક્રિયા લાંબા ચાલતા અને યુની.ના આંતરીક મેનેજમેન્ટમાં વિલંબ થતા
નિયત સમય મર્યાદામાં કોર્ય પુર્ણ કરવો કે પરીક્ષા પરીણામ સમયસર આપવામાં સમય સુચકતા
મળવાની નજર થાઈ આ કેલેન્ડર મુજબ વર્ષે નિયમિતતા આવે છે કે કેમ તે જોવું રહ્યું.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤