HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

TET-1 અને TET-2 પાસ ઉમેદવારો માટે મહત્ત્વનો નિર્ણય, સરકારે સર્ટિફિકેટની સમય મર્યાદા વધારી

Avatar photo
Updated: 24-09-2025, 09.21 AM

Follow us:

ગુજરાતના શિક્ષણ વિભાગે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1 અને TET-2)ના પ્રમાણપત્રોની માન્યતા અવધિ લંબાવવાનો એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આ પ્રમાણપત્રો માત્ર ત્રણ વર્ષ માટે જ માન્ય ગણાતા હતા

પરંતુ હવે તેની સમય મર્યાદા વધારીને પાંચ વર્ષ અથવા નવી શિક્ષણ નીતિ લાગુ ન થાય ત્યાં સુધી જે વહેલું હોય તે કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં ઉમેદવારોને મોટી રાહત મળી છે અને તેમને શિક્ષક બનવા માટેની તકો માટે પૂરતો સમય મળી રહેશે.

પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી

આ જાહેરાત ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1 અને TET-2)ની પરીક્ષાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા 12 ઓક્ટોબર, 2025 ના રોજ યોજાશે. TET-1 ની પરીક્ષા સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન લેવામાં આવશે, જ્યારે TET-2 ની પરીક્ષા બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન યોજાશે.

આ શહેરમાં પરીક્ષા યોજાશે

આ પરીક્ષાઓ રાજ્યના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં યોજાશે. પરીક્ષાની તારીખ જાહેર થતાં જ ઉમેદવારોએ તેમની તૈયારીઓને વધુ વેગ આપ્યો છે. ઉમેદવારોને પરીક્ષા સંબંધિત વધુ માહિતી અને પ્રવેશપત્ર માટે નિયમિતપણે વેબસાઇટની મુલાકાત લેવાની સૂચના આપવામાં આવી છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.