લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં યુવકની તબિયત લથડતાં મોત, જબલપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ | Indigo Flight from Ahmedabad Makes Emergency Landing in Jabalpur Passenger Dies

by

Thenewsdk

Updated: 23-05-2026, 10.49 AM

Follow us:

અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં યુવકની તબિયત લથડતાં મોત, જબલપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ | Indigo Flight from Ahmedabad Makes Emergency Landing in Jabalpur Passenger Dies




Indigo flight emergency landing: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રાંચી જવા રવાના થયેલી ઇન્ડિગોની ફ્લાઈટમાં એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. ફ્લાઈટ દરમિયાન હવામાં જ એક 29 વર્ષીય યુવકની તબિયત અચાનક લથડતાં વિમાનનું મધ્ય પ્રદેશના જબલપુર એરપોર્ટ પર કટોકટીની સ્થિતિમાં (ઈમરજન્સી) લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. એરપોર્ટ પ્રશાસને યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ તમામ પ્રયાસો છતાં મોડી રાત્રે સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. આ ઘટનાને પગલે વિમાનના મુસાફરોમાં પણ થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.

અમદાવાદથી સારવાર કરાવીને બહેન સાથે પરત ફરી રહ્યો હતો યુવક

મળતી માહિતી મુજબ, મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ રાંચીમાં રહેતો 29 વર્ષીય સુદીપ કુમાર ગૌનિશ ફેફસાં (લંગ્સ) ની ગંભીર બીમારીથી પીડિત હતો. તે પોતાની બહેન સાથે ફેફસાંની સારવાર કરાવવા માટે જ અમદાવાદ આવ્યો હતો. અમદાવાદમાં ડૉક્ટરોને બતાવીને તે શુક્રવારે સવારે 11:15 વાગ્યે ઇન્ડિગોની ફ્લાઈટ (એરબસ 320) દ્વારા રાંચી જવા માટે રવાના થયો હતો, જે બપોરે 1:25 વાગ્યે રાંચી પહોંચવાની હતી.

આકાશમાં જ શ્વાસ રૂંધાવા લાગ્યો અને પાયલટે લીધો મોટો નિર્ણય

વિમાન જ્યારે મધ્ય પ્રદેશના જબલપુરના આકાશ ઉપરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સુદીપને અચાનક શ્વાસ લેવામાં ભારે તકલીફ થવા લાગી હતી અને તેની સ્થિતિ વધુ બગડી ગઈ હતી. તેની બહેન અને સહ-મુસાફરોએ તરત જ કેબિન ક્રૂ મેમ્બર્સને આ અંગે જાણ કરી તાત્કાલિક તબીબી સહાયની માંગ કરી હતી. સ્થિતિની ગંભીરતાને જોઈને ફ્લાઈટના પાયલટે જબલપુરના ડુમના એરપોર્ટના એટીસી (ATC – એર ટ્રાફિક કંટ્રોલ) નો સંપર્ક સાધ્યો અને બપોરે 1:01 વાગ્યે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

આ પણ વાંચો: ભાજપ સાંસદે જ ઈંધણ અછતની પોલ ખોલી, રૂપાલાએ કહ્યું- 40% જ છે પેટ્રોલ-ડીઝલ…

50 મિનિટ એરપોર્ટ પર ફ્લાઈટ રોકાઈ, રાત્રે યુવકનું મોત

જબલપુર એરપોર્ટના પ્રભારી ડાયરેક્ટર નીરજ ગુડવાનીના જણાવ્યા અનુસાર, વિમાન નીચે ઉતરતાં જ એરપોર્ટ ઓથોરિટી અને એરલાઈન્સે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને દર્દી સુદીપને જબલપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કર્યો હતો. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિમાન અન્ય મુસાફરો સાથે આશરે 50 મિનિટ મોડું રાંચી જવા રવાના થયું હતું. બીજી તરફ, હોસ્પિટલમાં ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતાં મોડી રાત્રે સુદીપે અંતિમ શ્વાસ લીધા હતા. આ દુઃખદ સમાચાર મળ્યા બાદ યુવકના પરિવારજનો રોડ માર્ગે જબલપુરથી રાંચી જવા રવાના થયા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤