પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરા સાથેની વાતચીતમાં સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, જ્યારે ટીમની જાહેરાત થઈ અને તેમાં તેમનું નામ નહોતું ત્યારે પહેલુ રિએક્શન સ્માઈલ હતી.
સૂર્યાએ કહ્યું, “જ્યારે મારું નામ નહોતું ત્યારે હું માત્ર હસ્યો હતો. છેલ્લા બે વર્ષમાં જ્યારે પણ મારી સામે મુશ્કેલ પરિસ્થિતિઓ આવી છે, મેં શાંત રહેવાનો અને હસવાનો પ્રયાસ કર્યો છે. મને જે તકો મળી છે તેના માટે હું હંમેશાં આભારી રહ્યો છું.”
“વિચારતો રહ્યો- આવું કેવી રીતે બની શકે?”: સૂર્યા
સૂર્યકુમાર યાદવે સ્વીકાર્યું કે શરૂઆતમાં તેમણે આ નિર્ણય સ્વીકારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, બાદમાં એક જ સવાલ તેમને અંદરથી કોરી ખાતો હતો. સૂર્યાએ કહ્યું, “હું થોડો નિરાશ હતો, કારણ કે અમે છેલ્લા બે વર્ષમાં એક પણ સિરીઝ હાર્યા નહોતા.
અમે એશિયા કપ અને વર્લ્ડ કપ જીત્યા હતા. જ્યારે બધું યોગ્ય દિશામાં જઈ રહ્યું હતું તો પછી આ બદલાવ કેમ? બદલાવ પાછળનું કારણ શું હતું? આ જ વાત મારા મગજમાં સતત ચાલતી રહેતી હતી.”
તેમણે ઉમેર્યું કે ટીમમાંથી બહાર થયા બાદ તેઓ આશરે દોઢ મહિના સુધી ઘરમાં જ રહ્યા હતા. સગા-સંબંધીઓ અને મિત્રો સાંત્વના આપતા હતા, પરંતુ જ્યારે ઘર ખાલી થતું ત્યારે તેઓ એકલા બેસીને આ સવાલ પર જ વિચાર્યા કરતા હતા.
સિલેક્ટર્સે ટીમ જાહેરાતના 3 દિવસ પહેલાં જ કરી હતી વાત
સૂર્યાએ ખુલાસો કર્યો કે, સિલેક્ટર્સની કમિટીએ ટીમ જાહેર કરવાના બે-ત્રણ દિવસ પહેલાં જ તેમનો સંપર્ક કર્યો હતો. સિલેક્ટર્સે તેમને સ્પષ્ટ કહી દીધું હતું કે, હવે આગળ વધવાનો (Move on) સમય આવી ગયો છે.
સૂર્યાએ આ નિર્ણય પર કોઈ વિરોધ ન દર્શાવતાં કહ્યું, “સિલેક્ટર્સે મને ફોન કરીને કહ્યું કે, તેઓ ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે. આ મારો નિર્ણય નહોતો, તેથી મેં કોઈ પ્રતિક્રિયા ન આપી. તેમણે જે પણ નિર્ણય લીધો હશે તે ટીમ અને દેશના હિત માટે શ્રેષ્ઠ સમજીને લીધો હશે.” આ સાથે તેમણે શ્રેયસ અય્યરને શાનદાર ખેલાડી અને યોગ્ય કેપ્ટન ગણાવીને તેને સંપૂર્ણ સપોર્ટ જાહેર કર્યો હતો.
સૂર્યકુમાર યાદવના T-20 કપ્તાની રેકોર્ડ અંગે વિશેષ માહિતી
- અપ્રતિમ કપ્તાની રેકોર્ડ: સૂર્યકુમાર યાદવે જ જુલાઈ 2024માં ભારતીય T-20 ટીમની કપ્તાની સંભાળી હતી. તેમના નેતૃત્વ હેઠળ ભારતે શ્રીલંકા, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીઓ જીતી હતી તેમજ ICC T-20 વર્લ્ડ કપ અને એશિયા કપની ટ્રોફી પર કબજો જમાવ્યો હતો.
- બેટિંગ ફોર્મ અને ફ્યુચર પ્લાનિંગ: સિલેક્ટર્સના આ આકરા નિર્ણય પાછળનું મુખ્ય કારણ સૂર્યાના તાજેતરના આઈપીએલ (IPL) ફોર્મમાં આવેલ ડાઉન પર્ફોરમન્સ અને 2028 ઓલિમ્પિક્સ તથા આગામી T-20 વર્લ્ડ કપ માટે શ્રેયસ અય્યર જેવા યુવા લીડર હેઠળ નવી ટીમ તૈયાર કરવાનો સિલેક્ટર્સનો વ્યૂહાત્મક પ્લાન હોવાનું મનાય છે.




Leave a Comment