આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે મોબાઇલ ફોનનો વધુ ઉપયોગ આંખોને થાક, ઊંઘમાં ખલેલ અને માનસિક તણાવનું કારણ બને છે. પરંતુ હવે એક નવા સંશોધને બતાવ્યું છે કે તે આપણા ખાવા-પીવાની આદતો પર પણ ગંભીર અસર કરી શકે છે.
તાજેતરમાં જર્નલ ઓફ મેડિકલ ઈન્ટરનેટ રિસર્ચમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, સ્માર્ટફોનમાં વધુ સમય પસાર કરનાર યુવાનોમાં ‘ઈટિંગ ડિસઓર્ડર’ના લક્ષણો ઝડપથી વધી રહ્યા છે.
શું કહે છે સંશોધન?
આ અભ્યાસ King’s College London ના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં 52 હજારથી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધન મુજબ, જે લોકો રોજના 7 કલાકથી વધુ સમય મોબાઇલ સ્ક્રીન સામે વિતાવે છે, તેઓમાં ખોરાક સંબંધિત સમસ્યાઓનો જોખમ વધુ હોય છે.
કેમ વધે છે ખતરો?
નિષ્ણાતોનું કહેવું છે કે સ્માર્ટફોન સીધો ઈટિંગ ડિસઓર્ડરનું કારણ નથી, પરંતુ તે એક ટ્રિગર તરીકે કામ કરે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર સતત “પરફેક્ટ બોડી”વાળી તસવીરો જોવાથી યુવાનોમાં પોતાની સાથે તુલના કરવાની વૃત્તિ વધે છે.
આ તુલનાના કારણે:
- પોતાના શરીર પ્રત્યે અસંતોષ વધે છે
- માનસિક તણાવ અને ચિંતા વધી શકે છે
- વધારે ખાવાની અથવા ખોરાક પર નિયંત્રણ ગુમાવવાની આદત વિકસે છે
ટીનએજ પર સૌથી વધારે અસર
આ સંશોધન મુજબ, ટીનએજ બાળકો પર આ અસર સૌથી ગંભીર છે. આ ઉંમરે વ્યક્તિ પોતાની ઓળખ અને સેલ્ફ-ઈમેજ વિકસાવતો હોય છે. આવી સ્થિતિમાં સતત ફોનનો ઉપયોગ અને સોશિયલ મીડિયા પ્રભાવ તેમના માનસિક અને શારીરિક આરોગ્ય માટે જોખમી બની શકે છે.
નિષ્ણાતોની સલાહ
- દિવસમાં મોબાઇલ ઉપયોગનો સમય મર્યાદિત રાખવો
- સોશિયલ મીડિયા પરથી થોડો બ્રેક લેવો
- સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ અપનાવવો
- પોતાની તુલના બીજાઓ સાથે ન કરવી




Leave a Comment