લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

રિષભ પંત માટે ખતરાની ઘંટડી! ટીમ ઈન્ડિયામાંથી છીનવાઈ શકે છે આ પદ, LSGની હારે બગાડી બાજી | BCCI is thinking to remove Rishabh Pant as Vice Captain so he can play freely

by

Thenewsdk

Updated: 18-05-2026, 02.43 PM

Follow us:

રિષભ પંત માટે ખતરાની ઘંટડી! ટીમ ઈન્ડિયામાંથી છીનવાઈ શકે છે આ પદ, LSGની હારે બગાડી બાજી | BCCI is thinking to remove Rishabh Pant as Vice Captain so he can play freely



photo 1779095525978

Rishabh Pant Vice-Captain: આઈપીએલ 2026 પછી ભારતીય ક્રિકેટ ચાહકોને ટેસ્ટ મેચનો રોમાંચ જોવા મળશે. જોકે એની વચ્ચે રિષભ પંત માટે ખતરાની ઘંટડી વાગી રહી છે. અફઘાનિસ્તાનની ટીમ એક ટેસ્ટ મેચ અને 3 વનડે મેચના મુકાબલા માટે ભારતના પ્રવાસે આવશે. એકમાત્ર ટેસ્ટ મેચ ચંડીગઢના મુલ્લાંપુરમાં 6 જૂનથી રમાશે. ત્યારબાદ ત્રણ વનડે મેચ 14 જૂને ધર્મશાળા, 17 જૂને લખનઉ અને 20 જૂને ચેન્નઈમાં યોજાશે. આ સિરીઝ માટે ટીમ પસંદગી અંગે વિવિધ સમાચારોએ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ દરમિયાન રિષભ પંતને વાઇસ-કેપ્ટન પદ પરથી હટાવવાની ચર્ચા પણ થઈ રહી છે. 

BCCI રિષભ પંતને ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ-કેપ્ટન પદ પરથી દૂર કરવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. માનવામાં આવે છે કે છેલ્લા બે વર્ષમાં LSG સાથેના તેના મુશ્કેલ કાર્યકાળને કારણે આ ચર્ચા શરૂ થઈ છે, જ્યાં તે T20 ક્રિકેટમાં લીડર તરીકે પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યો છે. ટેસ્ટ ટીમમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે તેનું સ્થાન સંપૂર્ણપણે સુરક્ષિત છે. 19 મેના રોજ ગુવાહાટીમાં યોજાનારી પસંદગીકારોની બેઠકમાં તેની વાઇસ-કેપ્ટન્સી અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

પંતની બેટિંગ પર અસર

BCCIનું માનવું છે કે ભારતીય ક્રિકેટ રિષભ પંત જેવા મેચ જીતાડનારા બેટ્સમેનને ગુમાવવાનો જોખમ લઈ શકતું નથી. બોર્ડની અંદર એવી માન્યતા વધી રહી છે કે જ્યારે પણ રિષભ પંતને વધારાની જવાબદારી આપવામાં આવી છે, ત્યારે તે બેટિંગ દરમિયાન ‘યોગ્ય નિર્ણય’ લેવામાં ચૂકી રહ્યો છે. પસંદગી સમિતિ હવે તેને કોઈ ભાર વગર ખુલ્લેઆમ રમવાની તક આપવાનો વિચાર કરી રહી છે. BCCIનું માનવું છે કે 28 વર્ષીય રિષભ પંત નેતૃત્વની જવાબદારીમાં આરામદાયક અનુભવતો નથી. ગયા વર્ષે નવેમ્બરમાં ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન શુભમન ગિલની ગેરહાજરીમાં કેપ્ટન્સી કરતા રિષભ પંત વ્યૂહાત્મક રીતે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

શું ઇંગ્લેન્ડનો રેકોર્ડ બચાવશે પંતની પ્રતિષ્ઠા?

જો કે ધ્યાનમાં લેવું જરૂરી છે કે ફુલ-ટાઇમ વાઇસ-કેપ્ટન તરીકેના પોતાના પ્રથમ અસાઇનમેન્ટમાં પંતનું ઇંગ્લેન્ડમાં પ્રદર્શન શાનદાર રહ્યું હતું, જ્યાં તેણે 4 મેચમાં 479 રન બનાવ્યા હતા. પગમાં ફ્રેક્ચર હોવા છતાં તેણે બેટિંગ કરી હતી, જે ટીમ પ્રત્યેના તેના જુસ્સાને દર્શાવે છે. તે ઇંગ્લેન્ડમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ભારતીય વિકેટકીપર પણ છે.

આ પણ વાંચો: હાર્દિકની ગેરહાજરીમાં મુંબઈના ખેલાડીઓ વધુ ખુશ દેખાય છે..’ ટીમ ઈન્ડિયાના દિગ્ગજનો ચોંકાવનારો દાવો

અફઘાનિસ્તાન સામે રમશે બુમરાહ?

આ દરમિયાન અફઘાનિસ્તાન સિરીઝ માટે જસપ્રીત બુમરાહની ઉપલબ્ધતા BCCI મેડિકલ બોર્ડની મંજૂરી પર નિર્ભર છે. જો મેડિકલ ટીમ તેમના વર્કલોડને સુરક્ષિત માને છે, તો તે એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. તેની વનડે સિરીઝ રમવાની શક્યતા લગભગ નથી. વર્કલોડમાં જરા પણ સમસ્યા જણાય તો તેને આખી સિરીઝ માટે આરામ આપવામાં આવી શકે છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤