લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે | Preparation of NSE IPO : Shareholders including LIC SBI will be rich

by

Thenewsdk

Updated: 19-06-2026, 07.15 AM

Follow us:

NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે | Preparation of NSE IPO : Shareholders including LIC SBI will be rich



photo 1781798644915

મુંબઈ : લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, એ નેશનલ સ્ટોક એક્સચેન્જે (એનએસઈ) આખરે તેના શેરોના રૂ.૩૦,૦૦૦ કરોડના મેગા ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) માટે ડ્રાફ્ટ પેપર સેબીમાં ફાઈલ કર્યા છે. જે આ વર્ષે ભારતના પ્રાઈમરી માર્કેટમાં સૌથી મોટું શેર વેચાણ બની રહેશે. આ સૂચિત આઈપીઓ ૧૪.૮૯ કરોડ જેટલો શેરોની સંપૂર્ણ ઓફર ફોર સેલ (ઓએફએસ) હશે.

આઈપીઓ ફાઈલિંગ દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે, જે લગભગ એક દાયકાથી પબ્લિકમાં જવાનો પ્રયાસ કરી રહ્યું છે. એનએસઈએ સૌપ્રથમ ૨૦૧૬માં મૂડી બજાર નિયામક સેબીને ડ્રાફ્ટ આઈપીઓ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા, પરંતુ ચાલુ નિયમનકારી તપાસને કારણે પ્રક્રિયા અટકી ગઈ હતી.

ટ્રેડિંગ વોલ્યુમની દ્રષ્ટિએ એનએસઈ ભારતનું સૌથી મોટું શેર બજાર છે અને વિશ્વનું સૌથી સક્રિય ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ છે. આ પગલું ૨૦૧૭માં હરીફ બીએસઈ લિમિટેડે શેર બજારમાં પ્રવેશ કર્યાના વર્ષો પછી આવ્યું છે, જે લિસ્ટેડ થનાર પ્રથમ ભારતીય એક્સચેન્જ બન્યું હતું. નવા ફાઈલિંગ સાથે, એનએસઈ એ વર્ષોના નિયમનકારી અવરોધોને દૂર કર્યા પછી પબ્લિક માર્કેટમાં પ્રવેશવાની યોજનાઓને પુનજીૅવિત કરી છે. જેનાથી રોકાણકારો માટે દેશની સૌથી મહત્વપૂર્ણ નાણાકીય સંસ્થાઓમાં એકમાં હિસ્સો ખરીદવાનો માર્ગ મોકળો થયો છે.

એનએસઈમાં સંસ્થાકીય મોટા શેરધારકોમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) હસ્તક ૧૦.૭ ટકા હોલ્ડિંગમાં ૨૬.૫ કરોડ શેરો ધરાવે છે, જેનું અંદાજીત મૂલ્ય રૂ.૫૩,૦૦૦ કરોડ જેટલું અંકાય છે. જ્યારે અરાન્દા ઈન્વેસ્ટમેન્ટ (મોરિશીયસ) પાસે રૂ.૨૧,૪૬૯ કરોડ મૂલ્યનું અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસેરૂ.૨૦,૯૯૯ કરોડ મૂલ્યનું શેરહોલ્ડિંગ છે.

ત્યાર બાદ એસબીઆઈ કેપિટલ માર્કેટસ પાસે રૂ.૨૦,૪૭૪ કરોડ, મહાગોની હસ્તક રૂ.૧૭,૬૧૯ કરોડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસે રૂ.૧૫,૨૪૩ કરોડ અને પીઆઈ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ હસ્તક રૂ.૧૧,૧૧૦ કરોડ જેટલા મૂલ્યનું શેરહોલ્ડિંગ છે. શેરનો ભાવ અત્યારે રૂ.૨૦૦૦ જેટલો અંદાજીએ તો પણ શેરધારકો સંસ્થાકીય અને વ્યક્તિગત બન્ને માલામાલ બનશે.

આ ઓફર ફોર સેલના આઈપીઓમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) ૭.૯૮ કરોડ જેટલા શેરોનં હોલ્ડિંગ ધરાવે છે, જે પૈકી  ૨,૪૭,૫૦,૦૦૦ શેરો ઓફર કરી રહી છે, બેંક દ્વારા વર્ષ ૧૯૯૩થી ૧૯૯૯ દરમિયાન શેરો શેર દીઠ સરેરાશ ૮૦ પૈસા જેટલા ભાવે રૂ.૧.૯૮ કરોડ જેટલા રોકાણથી ખરીદવામાં આવ્યા છે.

અત્યારે અનલિસ્ટેડ માર્કેટમાં શેરનો ભાવ રૂ.૨૦૫૫થી રૂ.૨૦૬૦ જેટલો બોલાઈ રહ્યો છે. જે મુજબ એનું મૂલ્ય રૂ.૫૦૯૦ કરોડ જેટલું થાય છે. જ્યારે ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ અનેનેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડની પણ ખરીદ કિંમત શેર દીઠ ૩૨ પૈસા જેટલી જ છે, જે મુજબ આ કંપનીઓને પણ ૬૪૨૫ ટકા જેટલું જંગી વળતર મળી શકે છે. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની પડતર શેર દીઠ ૪૬ પૈસા જેટલી હોવાનું અને એને ૪૪૭૦ ટકા જેટલું વળતર છુટી શકે છે.

આ ઓફર ફોર સેલમાં ટેમસેક હોલ્ડિંગ્સ પીટીઈ- સિંગાપોર સોવરેઈન વેલ્થ ફંડ ૧.૧૨૫ કરોડ શેરો અરાન્દા ઈન્વેસ્ટમેન્ટ થકી ઓફર કરી રહી છે. કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડની શેરોની પડતર શેર દીઠ રૂ.૩૨૪.૧૩ જેટલી છે. જ્યારે એમએસ સ્ટ્રેટેજીક મોરિશિયસની પડતર શેર દીઠ રૂ.૬૬.૫૪ છે. ઉલ્લેખનીય છે કે, આ લાંબાગાળાથી રોકાણકાર રહેલા રોકાણકારો માટે નવેમ્બર ૨૦૨૪માં એક શેર દીઠ ચાર શેર બોનસના કારણે પડતર ઘણી નીચી આવી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤