લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ગાંધીનગર: વિદ્યાર્થીના દસ્તાવેજોનો દુરુપયોગ કરી શિષ્યવૃત્તિ હડપનારો ગઠિયો ઝડપાયો, કૌભાંડની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી | gandhinagar sog arrests man for student scholarship scam identity theft

by

Thenewsdk

Updated: 22-06-2026, 06.00 PM

Follow us:

ગાંધીનગર: વિદ્યાર્થીના દસ્તાવેજોનો દુરુપયોગ કરી શિષ્યવૃત્તિ હડપનારો ગઠિયો ઝડપાયો, કૌભાંડની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી | gandhinagar sog arrests man for student scholarship scam identity theft



Student Scholarship Scam: ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વર્ષ 2018-19માં એક વિદ્યાર્થીની જાણ બહાર તેના દસ્તાવેજોનો દુરુપયોગ કરી, ડિપ્લોમા કોર્સમાં ખોટી રીતે એડમિશન મેળવી અને બેંક ખાતું ખોલાવી શિષ્યવૃત્તિની રકમ હડપ કરનાર મુખ્ય આરોપી વિજય જયંતિલાલ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

દસ્તાવેજોનો દુરુપયોગ કરી બેંક ખાતું ખોલાવ્યું

આ આરોપીએ વિદ્યાર્થી અને સરકાર બંને સાથે છેતરપિંડી આચરી હતી, જે અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ફરિયાદી વિદ્યાર્થીએ વર્ષ 2018-19 દરમિયાન ક્યાંય પણ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો ન હતો કે કોઈ શિષ્યવૃત્તિ મેળવી ન હતી. આમ છતાં, આરોપીએ તેમના દસ્તાવેજોનો દુરુપયોગ કરી દહેગામ ખાતે આવેલી ‘એફ.ડી. (મુબીન) ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ, બહિયલ’માં ડિપ્લોમા કોર્સમાં ઓનલાઈન એડમિશન મેળવી લીધું હતું. ત્યારબાદ ફરિયાદીના નામે કડી નાગરિક સહકારી બેંકમાં ખોટું ખાતું ખોલાવી, તેમાં પોતાનો મોબાઈલ નંબર લિંક કરીને શિષ્યવૃત્તિની રકમ મેળવી આખું કૌભાંડ આચર્યું હતું.

ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીની અમદાવાદથી ધરપકડ

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ગાંધીનગર પોલીસ દ્વારા કેસની તપાસ SOGને સોંપવામાં આવી હતી. દસ્તાવેજી પુરાવાઓ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે અમદાવાદના શીલજ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય આરોપી વિજય જયંતિલાલ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો! અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારાને અપાઈ મંજૂરી, હવે મિનિમમ ભાડું 25 રૂપિયા

ભોગ બનનાર વિદ્યાર્થીઓને અપીલ

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આ મામલે એક જાહેર અપીલ કરવામાં આવી છે. વર્ષ 2016 થી 2019 દરમિયાન જો કોઈ વિદ્યાર્થીના દસ્તાવેજોનો દુરુપયોગ કરી કોઈ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં ખોટી રીતે પ્રવેશ મેળવી બેંક ખાતા દ્વારા શિષ્યવૃત્તિ હડપ કરવામાં આવી હોય, તો તેવા ભોગ બનનાર વ્યક્તિઓએ જરૂરી પુરાવા સાથે એસ.ઓ.જી શાખા, સેક્ટર-30, ગાંધીનગરનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤