લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ભારતનો આર્થિક વિકાસ નાણા વર્ષ 2027માં ઘટીને 6.6% થશે : S&P | India’s economic growth to slow to 6 6% in 2027: S&P

by

Thenewsdk

Updated: 25-06-2026, 07.15 AM

Follow us:

ભારતનો આર્થિક વિકાસ નાણા વર્ષ 2027માં ઘટીને 6.6% થશે : S&P | India’s economic growth to slow to 6 6% in 2027: S&P



photo 1782319034714

એનજીૅ ક્ષેત્રે તાણ અને નબળા ચોમાસાની શકયતા

મુંબઈ : ભારતમાં એનજીૅ તાણ, નબળા ચોમાસા અને ધીમી વૈશ્વિક વૃદ્વિને કારણે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૭માં આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિ ધીમી પડી ૬.૬ ટકા રહેવાની આગાહી આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી એસ એન્ડ પી દ્વારા તેના એક રિપોર્ટમાં કરવામાં આવી છે. આ વૃદ્વિ નાણા વર્ષ ૨૦૨૬માં ૭.૭ ટકા રહી હતી.

ભારતીય અર્થતંત્રએ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં ૭.૭ ટકાની વૃદ્વિ અને ૨૦૨૪-૨૫માં ૭.૧ ટકાની જીડીપી વૃદ્વિ નોંધાવી હતી. રિપોર્ટમાં મૂકાયેલા અંદાજ મુજબ માર્ચ ૨૦૨૭માં પૂરા થયા નાણા વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃદ્વિ દર ધીમો પડીને ૬.૬ ટકા થશે, જે નાણા વર્ષ ૨૦૨૬માં ૭.૭ ટકા હતો. એનજીૅ તાણ, નબળા ચોમાસાની ધારણા અને ધીમી વૈશ્વિક વૃદ્વિ વચ્ચે આ નબળો અંદાજ મૂકાયો છે.

એસ એન્ડ પીનો નાણા વર્ષ ૨૦૨૭ માટે વૃદ્વિનો આ અંદાજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ૬.૬ ટકાના અંદાજ મુજબ રહ્યો છે. અલ નીનોની અસરથી ચોમાસામાં આ વખતે વરસાદ ઓછો થવાનો અંદાજ છે. ૨૨, જૂન સુધી વરસાદની ખાધ ૪૩ ટકા સુધી વધી ગઈ છે. ચોમાસાની અછતનો સામનો કરવા માટે, સરકારે રાજ્યપ્રમાણે આકસ્મિક યોજનાઓ બનાવી છે, જેમાં ઓછા વરસાદની પરિસ્થિતિઓને અનુરૂપ વૈકલ્પિક પાકોની ભલામણ કરવામાં આવી છે.

ભારત તેની ક્રુડ ઓઈલની જરૂરિયાતના ૮૮ ટકા આયાત કરે છે અને વૈશ્વિક ભાવમાં વધારો આયાત બિલમાં વધારો કરે છે અને ફુગાવામાં વધારો કરે છે. ઈકોનોમિક આઉટલૂક એશિયા-પેસિફિક ત્રીજા ત્રિમાસિક ૨૦૨૬ : એઆઈ-એક્સપોઝ્ડ માર્કેટ્સ ટુ આઉટપરફોર્મ શીર્ષકવાળા તેના રિપોર્ટમાં, એસ એન્ડ પી એ જણાવ્યું હતું કે, પ્રદેશનો અંદાજ સ્થિતિસ્થાપક વૈશ્વિક પ્રવૃતિ, ઊર્જા બજારમાં તણાવ અને એઆઈ-સંચાલિત ટેક નિકાસ તેજી દ્વારા આકાર પામે છે.

એસ એન્ડ પી એ જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયાના સંઘર્ષથી ઉદ્દભવતા ઊર્જા તણાવની અસર સ્પષ્ટપણે દેખાય છે, કારણ કે ઉદ્યોગના ઈનપુટ ખર્ચ અને સપ્લાયર્સના ડિલિવરી સમયમાં નોંધપાત્ર વધારાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત, ખાતરના ઊંચા ભાવ, ખાદ્ય ઉત્પાદન પર ભાર વધારે છે અને ખાદ્ય ભાવમાં વધારો કરે છે. વધતી જતા ફુગાવાથી ખરીદ શક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે વૃદ્વિ નિરાશાજનક બની રહી છે. ખાતરના ઊંચા ભાવથી ખાદ્ય ઉત્પાદન અને ઈંધણના ભાવ પર બોજ વધી રહ્યો હોવાનું એસ એન્ડ પીનું કહેવું છે.

એસ એન્ડ પી એ જણાવ્યું હતું કે, ભારતના ત્રીજા ત્રિમાસિકમાં ગ્રાહક ફુગાવો ૦.૫થી ૦.૬ ટકા વધુ રહેશે અને ચાલુ નાણાકીય વર્ષમાં તે વધીને ૫.૧ ટકા થશે, કેમ કે ઉત્પાદકો પેટ્રોલ, ડિઝલ અને રસોઈ ગેસના ભાવમાં તાજેતરના વધારા સાથે ગ્રાહકોને ઉચ્ચ ઊર્જા ખર્ચનો બોજ આપશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤