લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

પરિણીત પુત્રીને પણ માતા-પિતાના મૃત્યુ બાદ રહેમરાહે નોકરીનો હક | Married daughters also have the right to a job after the death of their parents

by

Thenewsdk

Updated: 03-06-2026, 05.40 AM

Follow us:

પરિણીત પુત્રીને પણ માતા-પિતાના મૃત્યુ બાદ રહેમરાહે નોકરીનો હક | Married daughters also have the right to a job after the death of their parents



– લગ્ન બાદ પણ પુત્રીઓ પરિવારની સભ્ય જ ગણાય : સુપ્રીમ

– રાશન શોપની ડીલર માતાના મૃત્યુ બાદ પરિણીત પુત્રીને ડીલરશિપ આપવાની ના પાડતો આદેશ સુપ્રીમે રદ કર્યો

નવી દિલ્હી : પરિણીત પુત્રીને પિતાના પરિવારની વ્યાખ્યામાંથી બહાર ના રાખી શકાય, જો આવો કોઇ નિર્ણય લેવામાં આવ્યો હોય તો તે મનમાનીભર્યો ગણાય આ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે એક પુત્રીની ગુહાર પર કરી હતી. સુપ્રીમે એવી સ્પષ્ટતા કરી હતી કે પરિણીત પુત્રીઓ પણ પોતાના માતા પિતામાંથી કોઇ નોકરી કરતું હોય કે સરકારી શોપની ડીલરશિપ ધરાવતું હોય તો તેના મૃત્યુ બાદ તેમના સ્થાને રહેમરાહે નોકરી મેળવવાને હકદાર છે.  

ઉત્તર પ્રદેશમાં એક પરિણીત મહિલાએ તેની માતાના મૃત્યુ બાદ રહેમરાહે કામની માગણી કરી હતી, આ મહિલાની માતા રાશન શોપની ડીલર હતી, તેથી મહિલાએ પરિવારની જ એક સભ્ય હોવાનું કહીને રહેમરાહે ડીલર તરીકે કામ આપવા સરકાર સમક્ષ રજુઆત કરી હતી. જોકે ૨૦૧૯ના સરકારી આદેશમાં એવો દાવો કરાયો હતો કે અરજદાર મહિલા પરિણીત હોવાથી તે પરિવારની વ્યાખ્યામાં ના આવે માટે તેને ડીલરશીપ ના આપી શકાય. મહિલાએ આ આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે મહિલાની અરજી ફગાવી દીધી હતી, તેમ છતા તેણે હાર નહોતી માની અને સુપ્રીમમાં હાઇકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. 

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને રદ કરીને કહ્યું હતું કે પરિણીત પુત્રી પરિવારનો હિસ્સો ના કહેવાય આ નિર્ણય મનમાનીભર્યો ગણાય, પુત્રી પરિણીત હોય તો પણ પરિવારનો જ હિસ્સો ગણાય. રહેમરાહે નોકરીના આ મામલામાં પરિવારની નિર્ભરતા, નાણાકીય જરૂરિયાત, અરજદાર મહિલાની ડીલરશીપની કામગીરી સંભાળવાની ક્ષમતા વગેરે પાસા પર ધ્યાન આપવાનું હોય, આમા પરિણીત હોવા ન હોવાને કઇ લેવાદેવા જ નથી. લગ્ન પુત્રીનો તેના માતા પિતા કે પરિવાર સાથેનો નાતો તોડી ના શકે.

એ સામાજિક હકિકત છે કે ઘણી પુત્રીઓ લગ્ન થઇ ગયા હોવા છતા માતા પિતા પર નિર્ભર હોઇ શકે છે, તેવી જ રીતે ઘણા પુત્રો છે કે જેઓને પરિવારની વ્યાખ્યામાં સામેલ કરાયા હોવા છતા તેઓ પરિવાર પર નિર્ભર નથી હોતા. નિર્ભરતા મહત્વપૂર્ણ પાસું છે. પુત્ર પરિણીત હોય તો તેને પરિવારમાંથી બહાર નથી રખાતો પણ પુત્રી પરિણીત હોય તો તેને પરિવારની વ્યાખ્યામાંથી બહાર રખાય છે. પુત્રીના લગ્ન થાય પછી તે અન્ય પરિવારની સભ્ય બની જાય છે જે રૂઢિવાદી માનસિકતા છે. આ મામલામાં સ્પષ્ટ થાય છે કે લગ્ન કર્યા હોવા છતા મહિલા તેની માતાની દેખરેખ રાખતી હતી અને તેના પિતાના ગામમાં જ રહે છે. માતાનું મૃત્યુ થયું તે બાદ પોતાની પ્રજ્ઞાાચક્સુ બહેન અને અન્ય એક સભ્યની પણ સંભાળ રાખી રહી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤