મુંબઈમાં છેલ્લા 48 કલાકથી વરસી રહેલા મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદને કારણે વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેણે હવે ગંભીર રાજકીય વળાંક લીધો છે. ચેમ્બુરમાં શાળાની વાન પર ઝાડ પડવાથી એક વિદ્યાર્થીના મોતનો આઘાત તાજો જ હતો, ત્યાં સાકીનાકાના ચાંદિવલી વિસ્તારમાં ૬૦ વર્ષીય અસલમ શેખના ખુલ્લા મેનહોલમાં પડી જવાથી થયેલા મોતને કારણે વહીવટીતંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.
વિધાનસભામાં ગરમાગરમી
ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે સરકાર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતા નાના પટોલેએ સરકારને નિશાન બનાવતા કહ્યું કે, સરકાર વહીવટ ચલાવવાને બદલે રાજકીય દાવપેચમાં વ્યસ્ત છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા પૂછ્યું કે, લોકોના જીવ જઈ રહ્યા છે, તો સરકાર હજુ કેટલા મૃત્યુની રાહ જોઈ રહી છે? ભૂતપૂર્વ મંત્રી અસલમ શેખે પણ આ મૃત્યુ માટે સીધી રીતે સરકાર અને વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યા હતા.
VIDEO | Mumbai: As a man identified as Aslam Isak Shaikh accidentally fell into an open stormwater drain in the Sakinaka area, Congress leader Nana Patole says, "These people do not care about the lives of ordinary people at all. All they want is power. On the very first day, we… pic.twitter.com/uZUYORX5Th
— Press Trust of India (@PTI_News) July 2, 2026




Leave a Comment