લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે નીતિન ગડકરીના પરિવારને કરોડોનું નુકસાન, કન્ટેનર ફસાયા, માલ સડી ગયો | Nitin Gadkari Family Suffers Huge Losses In Business Due To Middle East War

by

Thenewsdk

Updated: 18-05-2026, 03.55 PM

Follow us:

મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે નીતિન ગડકરીના પરિવારને કરોડોનું નુકસાન, કન્ટેનર ફસાયા, માલ સડી ગયો | Nitin Gadkari Family Suffers Huge Losses In Business Due To Middle East War



Middle East War Hits Nitin Gadkari’s Family Business : અમેરિકા-ઈરાન વચ્ચે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા વિવાદના કારણે ભારતીય વેપાર સહિત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પરિવારના બિઝનેસ પણ મોટું આર્થિક નુકસાન થયું છે. બંને દેશો વચ્ચે તણાવના કારણે ગડકરીના પરિવારના સેંકડો કન્ટેનર રસ્તામાં ફસાઈ જતા કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. આ વાતનો ખુલાસો ખુદ ગડકરીએ કર્યો છે.

અમે દર મહિને 100 કન્ટેનર અમેરિકા મોકલતા હતા : ગડકરી

નાગપુરમાં એક કાર્યક્રમમાં ગડકરીએ યુદ્ધના કારણે તેમના પરિવાર કેવી સમસ્યાનો સામનો કરી રહ્યો છે, તેનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘મારી કંપની સુગરમાંથી ડિટર્જન્ટ બનાવે છે અને તે કામ મારી વહુ જુએ છે. અમારા ડિટર્જન્ટના લગભગ 100 કન્ટેનર દર મહિને અમેરિકામાં મોકલવામાં આવતા હતા, જોકે ત્યાં યુદ્ધ શરૂ થતા અમારા કન્ટેનરો ત્યાં જવાના બંધ થઈ ગયા છે.

અમારો બિઝનેસ ચોપટ થયો, પણ હાર માની નથી : ગડકરી

તેમણે કહ્યું કે, ‘મધ્ય-પૂર્વમાં સંકટના કારણે અમારો ધંધો ચોપટ થઈ ગયો છે.  આ સંકટ છતાં અમે હાર માની નથી. હવે તેમણે લોકલ માર્કેટમાં માલ-સામાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી છે અને તે માટે ઘણો સંઘર્ષ પણ કરી રહ્યા છે.’

આ પણ વાંચો : પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી

‘પુત્રના 400 કન્ટેનર ભરેલા કેળા અને 200 કન્ટેનર ભરેલા સફરજ ખરાબ’

ગડકરીના પુત્રના આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ યુદ્ધની ભારે અસર પડી છે. ગડકરીએ પુત્રના બિઝનેસ અંગે કહ્યું કે, ‘મારો પુત્ર ઈરાનમાં મોટો વેપાર કરે છે. આ વેપાર હેઠળ ભારતથી મોટાપ્રમાણમાં કેળાની ઈરાનમાં નિકાસ કરવામાં આવે છે, જ્યારે ઈરાનથી ભારતમાં સફરજન આયાત કરવામાં આવતા હતા. જ્યારથી બંને દેશો વચ્ચે વિવાદ શરૂ થયો છે, આખી સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. આ સંકટના કારણે રસ્તામાં ફસાયેલા 400 કન્ટેનરના કેળા સડી ગયા છે અને ઈરાથી ભારત આવી રહેલા 200 કન્ટેનરમાં સફરજન પણ ખરાબ થઈ ગયા છે.

ઇન્સ્યોરન્સવાળા પૈસા આપવામાં આનાકાની કરે છે : ગડકરી

પરિવારના બિઝનેસને નુકસાન થયા બાદ ગડકરી ઇન્સ્યોરન્સ કંપનીઓના વલણથી નારાજ થયા છે. તેમણે કહ્યું કે, આટલું મોટું નુકસાન છતાં ઇન્સ્યોરન્સવાળા પૈસા આપવામાં આનાકાની કરી રહ્યા છે. પરિવારના બિઝનેસમાં કરોડોનું નુકસાન થવા છતાં ગડકરીએ પરિવારનું મનોબળ વધાર્યું છે. તેમણે કહ્યું કે, પડકારો બિઝનેસનો એક ભાગ છે. વેપારની દુનિયામાં આવા પ્રકારના ઉતાર-ચઢાવ સતત આવતા રહે છે. તેથી આવા સંકટથી ગભરાવવાના બદલે સકારાત્મક વિચારો અને આત્મનિર્ભર સાથે આગળ વધતાં રહેવું જોઈએ.

આ પણ વાંચો : મહિલાઓને 3000, મફત બેસ સેવા, મદરેસાઓને ઝટકો.. શુભેન્દુ સરકારે લીધા 5 મોટા નિર્ણય



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤