લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

સયાજીપુરા વુડાના મકાનોના રહીશોનો પાણી મુદ્દે હોબાળો : કોર્પોરેશન કચેરીએ નાહવા ધોવા જશે તેવી ચીમકી | Residents of Sayajipura Wuda’s houses protest over water issue

by

Thenewsdk

Updated: 12-06-2026, 01.25 PM

Follow us:

સયાજીપુરા વુડાના મકાનોના રહીશોનો પાણી મુદ્દે હોબાળો : કોર્પોરેશન કચેરીએ નાહવા ધોવા જશે તેવી ચીમકી | Residents of Sayajipura Wuda’s houses protest over water issue



Vadodara Dirty Water : વડોદરા શહેરના આજવા રોડ પર સયાજીપુરા પાણીની ટાંકી સામેના વુડાના મકાનોમાં છેલ્લા કેટલાય દિવસથી બિલકુલ પાણી આવતું બંધ થયું છે. આ અંગે સ્થાનિકોએ આજે હોબાળો મચાવ્યો હતો. આગામી ચાર દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો ન્હાવા-ધોવા માટે પાલિકાની કચેરીએથી પરવારીને કામ ધંધે જશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

આજવા રોડ પર સયાજીપુરા પાણીની ટાંકી સામેના વુડાના જર્જરિત મકાનોમાં છેલ્લા કેટલાય દિવસથી પીવાનું પાણી આવતું નથી. આ અંગે ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ તે અન્ય કોઈના દબાણથી બીજે મોકલી દેવામાં આવતી હોવાના આક્ષેપો થયા હતા. ત્યારબાદ આજે ફરી એકવાર સ્થાનિક રહીશોએ પાણી મુદ્દે હોબાળો મચાવ્યો છે. આ અંગે સ્થાનિકો જ્યાં સુધી એકત્ર થઈને તંત્રને ચીમકી નહીં આપે ત્યાં સુધી કોઈ કામ થતું નથી. જો આગામી ચાર દિવસમાં પાણીની સમસ્યાનો કોઈ નિકાલ નહીં આવે તો સ્થાનિકો નહાવા-ધોવાની કાર્યવાહી કરવા માટે પાલિકા વડી કચેરીનો ઉપયોગ કરશે. આમેય તમામ સરકારી અને પાલિકા કચેરી પ્રજાની જ હોવાનું કહેવાય છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤