લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat dolphin population crosses 680 shivrajpur poshitra emerge as best spots

by

Thenewsdk

Updated: 20-06-2026, 08.25 PM

Follow us:

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat dolphin population crosses 680 shivrajpur poshitra emerge as best spots


Gujarat Dolphin Population Growth: ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં વન્યજીવ અને જળચર સંરક્ષણના પ્રયાસોના કારણે ડોલ્ફિનની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2025ની છેલ્લી ગણતરી મુજબ, રાજ્યના 4,087 ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680થી વધુ ડોલ્ફિન નોંધાઈ છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ શિવરાજપુર અને પોશિત્રાનો દરિયાકિનારો ડોલ્ફિન જોવા માટે ‘બેસ્ટ સ્પોટ’ તરીકે ઉભરી આવ્યો છે, કારણ કે અહીંનું પાણી ખૂબ જ સ્વચ્છ હોવાથી ડોલ્ફિન સરળતાથી નજરે પડે છે.

કયા વિસ્તારમાં કેટલી ડોલ્ફિન? 

કચ્છના અખાતથી લઈને ભાવનગર સુધીના દરિયાઈ પટ્ટામાં ડોલ્ફિનનો વસવાટ છે. વન વિભાગના આંકડા અનુસાર

કચ્છના અખાતમાં આવેલો આ ભારતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (Marine National Park) હાલ ડોલ્ફિનનું મુખ્ય ઘર બની ગયો છે.

શિકાર કરવા પર પ્રતિબંધ: બિન-જામિનપાત્ર ગુનો

ડોલ્ફિન સમુદ્રી ઇકોસિસ્ટમમાં આહાર શ્રૃંખલા સંતુલિત રાખવા માટે ટોચના શિકારી તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. ડોલ્ફિન એ લુપ્ત થતી પ્રજાતિઓમાં સામેલ હોવાથી વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ડોલ્ફિનનો શિકાર કરવો કે તેને નુકસાન પહોંચાડવું એ બિન-જામિનપાત્ર ગુનો છે. સ્થાનિક માછીમારો પણ આ જીવોને બચાવવામાં મોટું યોગદાન આપી રહ્યા છે.

ગુજરાતના દરિયામાં જોવા મળતી ડોલ્ફિનની 5 મુખ્ય વિશેષતાઓ

બે મુખ્ય પ્રજાતિઓ: ગુજરાતમાં મુખ્યત્વે ઇન્ડો-પેસિફિક હમ્પબેક ડોલ્ફિન (Indo-Pacific Humpback Dolphin) અને બોટલનોઝ ડોલ્ફિન (Bottlenose Dolphin) જોવા મળે છે.

હમ્પબેક ડોલ્ફિન સામાન્ય રીતે 2.5 થી 3.2 મીટર લાંબી અને 150 થી 250 કિલોગ્રામ વજન ધરાવતી હોય છે. તેને તેની વિશિષ્ટ ખૂંધ અને પૂંછડી (ડોર્સલ ફિન)થી ઓળખી શકાય છે.

માછલીઓની જેમ ડોલ્ફિનને ચૂઇ (Gills) હોતી નથી. સસ્તન પ્રાણી હોવાથી તે ફેફસાં દ્વારા શ્વાસ લે છે, તેથી દર થોડી મિનિટે પાણીની સપાટી પર માથું બહાર કાઢે છે. આ દ્રશ્ય પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ છે.

આ સજીવ મુખ્યત્વે નાની માછલીઓ, કરચલા અને જિંગા ખાય છે, તેથી તે દરિયાકિનારા અને નદીના મુખ પાસે વધુ જોવા મળે છે.

પોતાના મૈત્રીપૂર્ણ, બૌદ્ધિક અને જિજ્ઞાસુ સ્વભાવ માટે જાણીતી ડોલ્ફિન અવારનવાર દરિયાના મોજાંઓમાં કૂદકા મારીને એક્રોબેટિક સ્ટન્ટ્સ કરતી જોવા મળે છે.

ભારત સરકારે 5 ઓક્ટોબર 2009ના રોજ નદીઓની શુદ્ધતાના પ્રતીક સમાન ‘ગંગા ડોલ્ફિન’ને ભારતનું ‘રાષ્ટ્રીય જળચર પ્રાણી’ (National Aquatic Animal) જાહેર કર્યું હતું.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤