HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

ઈડરમાં મહાકાળી મંદિરના મહંતની ઘાતકી હત્યા, શું છે સમગ્ર ઘટના?

Avatar photo
Updated: 28-10-2025, 01.46 PM

Follow us:

ઈડર શહેર ફરી એકવાર ભય અને ચકચારના માહોલમાં ગરકાવ થયું છે. મહાકાળી મંદિરના મહંત પૂર્ણાનંદ સ્વામીની અજાણી વ્યક્તિઓ દ્વારા કરાયેલી ઘાતકી હત્યાના બનાવે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે.

મળતી માહિતી મુજબ, મહંત પૂર્ણાનંદ સ્વામી દરરોજની જેમ મંદિર પરિસરમાં નિવાસ કરતા હતા. પરંતુ આજે સવારે તેમનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં રૂમમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ઈડર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને તપાસ હાથ ધરી છે.

પોલીસ અને ફોરેન્સિક ટીમે સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્ર કર્યા છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળના કારણો સ્પષ્ટ થયા નથી, પરંતુ પોલીસ વિવિધ આશંકાઓના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.

  • ભક્તોમાં ભારે આક્રોશ

આ ઘટના બાદ શહેરમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. ધાર્મિક વર્ગ અને ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. મોટી સંખ્યામાં લોકો મહાકાળી મંદિર ખાતે પહોંચી મહંતને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.