લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

જાણો શું છે ‘ડિજિટલ ડિટોક્સ’? માનસિક શાંતિ અને સારી ઊંઘ માટે દરેક વ્યક્તિએ અપનાવવું જરૂરી | Side Effects of Excessive Screen Time Why You Need a Digital Detox

by

Thenewsdk

Updated: 30-05-2026, 04.01 PM

Follow us:

જાણો શું છે ‘ડિજિટલ ડિટોક્સ’? માનસિક શાંતિ અને સારી ઊંઘ માટે દરેક વ્યક્તિએ અપનાવવું જરૂરી | Side Effects of Excessive Screen Time Why You Need a Digital Detox



photo 1780137105729


Side Effects Of Excessive Screen Time: મોબાઈલ અને લેપટોપનો સતત ઉપયોગ તેમજ સોશિયલ મીડિયા પાછળ વિતાવાતો અતિશય સમય હવે આપણી જિંદગીનો એવો ભાગ બની ગયા છે કે તેના વિના રહેવું મુશ્કેલ લાગે છે. સવારે આંખ ખુલતાની સાથે જ પહેલું કામ ફોન જોવાનું થાય છે અને રાત્રે પણ ઊંઘતા પહેલાં છેલ્લી નજર સ્ક્રીન પર જ ટકેલી હોય છે. પરંતુ ડૉક્ટરો અને તાજેતરના સંશોધનો સતત ચેતવણી આપી રહ્યા છે કે, જો સમય રહેતા ‘ડિજિટલ ડિટોક્સ’ને સમજવામાં નહીં આવે તો આ આદત ધીમે-ધીમે શરીર અને મગજ બંનેને ગંભીર રીતે બીમાર કરી શકે છે.

શું છે આ ડિજિટલ ડિટોક્સ?

ડિજિટલ ડિટોક્સ એટલે થોડા સમય માટે મોબાઈલ, સોશિયલ મીડિયા, લેપટોપ અને અન્ય ડિજિટલ ડિવાઈસથી દૂર રહેવું, જેથી મગજ અને શરીરને સતત મળતા ડિજિટલ દબાણમાંથી મુક્તિ મળી શકે. નિષ્ણાતોના મતે, આ માત્ર કોઈ નવો ટ્રેન્ડ નથી પરંતુ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે એક અત્યંત જરૂરી પગલું છે.

વધતી જતી આડઅસરો અને મુશ્કેલીઓ

તબીબોના જણાવ્યા અનુસાર, સતત સ્ક્રીન સામે સમય વિતાવવાથી લોકોમાં ઊંઘની સમસ્યા, માનસિક તણાવ, માથાનો દુખાવો, આંખોમાં બળતરા અને ચીડિયાપણું ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. મોડી રાત સુધી ફોન ચલાવવાની આદત મગજને આરામ કરવા દેતી નથી. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર અન્ય લોકોની આભાસી અને ‘પરફેક્ટ જિંદગી’ જોઈને પોતાની જાત સાથે સરખામણી કરવાની ભાવના જાગે છે, જેનાથી આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ બંને જોખમાય છે. સંશોધનો દર્શાવે છે કે વારંવાર ફોન ચેક કરવાની આ આદત મગજની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને પણ નબળી પાડે છે અને ફોન પાસે ન હોવા પર લોકો બેચેની કે ગભરામણ અનુભવવા લાગે છે.

અતિશય સ્ક્રીન ટાઈમથી થતા શારીરિક અને સામાજિક નુકસાન

લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસી રહેવાની અસર માત્ર મગજ પર જ નહીં, પરંતુ શરીર પર પણ થાય છે. સતત નીચે ઝૂકીને મોબાઈલ જોવાથી ‘ટેક નેક’ એટલે કે ગરદનનો દુખાવો, પીઠનો દુખાવો અને માથાનો દુખાવો વધતો જાય છે. આંખોમાં સૂકાપણું આવવું અને ઝાંખું દેખાવું હવે નાની ઉંમરના લોકોમાં પણ સામાન્ય બની ગયું છે. આ ટેકનોલોજીની સૌથી મોટી નકારાત્મક અસર સંબંધો પર પડી રહી છે. એક જ ઘરમાં રહેતા લોકો કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રહે છે પણ પરસ્પર વાતચીત ઓછી થઈ ગઈ છે. પરિવારને સમય આપવાના બદલે લોકો સોશિયલ મીડિયા પર વધુ એક્ટીવ રહે છે, જેના કારણે ઘરોમાં અંતર અને તણાવ વધી રહ્યો છે.

આ પણ વાંચો: યુવાનીમાં જ દાઢી-વાળ સફેદ થઈ રહ્યા છે? જાણો તેની પાછળના મુખ્ય કારણો અને બચવાના સરળ ઉપાયો

ડિજિટલ વ્યસનથી બચવાના સરળ ઉપાયો

જોકે, આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે નાની-નાની આદતો મોટો બદલાવ લાવી શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે સવારે ઉઠ્યા પછી ઓછામાં ઓછો એક કલાક ફોનથી દૂર રહેવું જોઈએ. જમતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો અને રાત્રે સુવાના બે કલાક પહેલાં જ સ્ક્રીન બંધ કરી દેવી હિતાવહ છે. અઠવાડિયામાં એક દિવસ ડિજિટલ બ્રેક લેવાથી મગજને રાહત મળે છે. જ્યારે લોકો કુદરત, પરિવાર અને વાસ્તવિક મિત્રો સાથે સમય વિતાવે છે ત્યારે તણાવ ઓછો થાય છે, ઊંઘ સારી આવે છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે.

Disclaimer: આ માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના અભિપ્રાયો પર આધારિત છે. તેને તબીબી સલાહ તરીકે ન ગણવી. કોઈ પણ નવો નિયમ કે ફેરફાર અપનાવતા પહેલાં તમારા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤