લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

વિટામિન બી12 નોર્મલ હોવા છતાં પણ મગજ અને નસોની સમસ્યા ઉભી કરી શકે, નવા સંશોધને ચોંકાવ્યા | normal vitamin b12 levels and brain health elderly active b12 brain aging

by

Thenewsdk

Updated: 28-05-2026, 11.35 PM

Follow us:

વિટામિન બી12 નોર્મલ હોવા છતાં પણ મગજ અને નસોની સમસ્યા ઉભી કરી શકે, નવા સંશોધને ચોંકાવ્યા | normal vitamin b12 levels and brain health elderly active b12 brain aging



photo 1779991543102

Normal Vitamin B12 Levels And Brain Health: વિટામિન બી12ને લાંબા સમયથી શરીર અને મગજ માટે ખૂબ જ જરૂરી ન્યુટ્રિએન્ટ માનવામાં આવતું રહ્યું છે. ડોકટરો સામાન્ય રીતે બ્લડ ટેસ્ટ દ્વારા એ તપાસે છે કે શરીરમાં તેની માત્રા યોગ્ય છે કે નહીં. જો રિપોર્ટ નક્કી કરેલી મર્યાદાથી ઉપર હોય, તો માણસને સંપૂર્ણપણે નોર્મલ માનવામાં આવે છે. પરંતુ હવે એક નવા સંશોધને આ વિચાર પર સવાલો ઊભા કરી દીધા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઘણા વડીલોમાં બી12 લેવલ નોર્મલ હોવા છતાં મગજ અને નસો સાથે જોડાયેલી સમસ્યાઓ શરૂ થઈ શકે છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો

આ સંશોધન કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યું છે, જેના પરિણામો એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયા છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કેટલાક વડીલોમાં સામાન્ય બી12 લેવલ હોવા છતાં બ્રેઈન ફંક્શન અને નર્વસ સિસ્ટમ પર અસર દેખાવા લાગી હતી. વિટામિન બી12 શરીરમાં રેડ બ્લડ સેલ્સ બનાવવા, નસોને હેલ્ધી રાખવા અને DNA બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. તેની ઉણપથી એનિમિયા, નબળાઈ, હાથ-પગ સુન્ન થઈ જવા, યાદશક્તિ નબળી પડવી અને બેલેન્સ બગડવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. અત્યાર સુધી ડોકટરો મુખ્યત્વે ગંભીર ઉણપવાળા કેસો પર ધ્યાન આપતા રહ્યા છે, પરંતુ નવું સંશોધન કહે છે કે સમસ્યાઓ તેનાથી ઘણી વહેલી શરૂ થઈ શકે છે.

એક્ટિવ B12 ની ઉણપથી વિચારવાની ક્ષમતા ધીમી પડી

સંશોધન ટીમે આશરે 71 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા 231 હેલ્ધી વડીલો પર સ્ટડી કર્યો. તેમાંથી કોઈને ડિમેન્શિયા કે હળવી માનસિક નબળાઈની સમસ્યા ન હતી. વૈજ્ઞાનિકોએ માત્ર કુલ બી12 લેવલ જ નહીં, પરંતુ એક્ટિવ બી12ની પણ તપાસ કરી. આ એ જ સ્વરૂપ છે, જેનો શરીર વાસ્તવમાં ઉપયોગ કરી શકે છે. રસપ્રદ વાત એ રહી કે મોટાભાગના લોકોનું બી12 લેવલ મેડિકલ ધોરણો મુજબ સામાન્ય હતું. આમ છતાં, જે લોકોમાં એક્ટિવ બી12 ઓછું હતું, તેમનામાં વિચારવાની સ્પીડ અને વિઝ્યુઅલ પ્રોસેસિંગ ધીમી જોવા મળી હતી. સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે તેમના મગજની નસો સંકેતો પર ધીમી પ્રતિક્રિયા આપી રહી હતી.

બ્રેઈન સ્કેનમાં મગજના વ્હાઇટ મેટરને નુકસાન જોવા મળ્યું

બ્રેઈન સ્કેનમાં વૈજ્ઞાનિકોએ વધુ એક મહત્વની વાત જોઈ. જે લોકોમાં એક્ટિવ બી12 ઓછું હતું, તેમના મગજમાં વ્હાઇટ મેટર લીઝન વધુ જોવા મળ્યા હતા. વ્હાઇટ મેટર મગજના અલગ-અલગ ભાગો વચ્ચે સંદેશા પહોંચાડવાનું કામ કરે છે. આ ભાગોને નુકસાન પહોંચવાનો સંબંધ સ્ટ્રોક, ડિમેન્શિયા અને માનસિક નબળાઈ સાથે જોડવામાં આવે છે. ન્યુરોલોજીસ્ટ એક્સપર્ટે જણાવ્યું કે આ સ્ટડી દર્શાવે છે કે વર્તમાન મેડિકલ ધોરણો બી12ની શરૂઆતી બ્રેઈન અને ન્યુરોલોજીકલ સમસ્યાઓને સંપૂર્ણપણે પકડી શકતા નથી. તેમના મતે ઘણા લોકોમાં સ્પષ્ટ લક્ષણો દેખાતા પહેલા જ નસો અને મગજ પર અસર શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો: WHOએ ઇબોલા વાઈરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરતાં IMAએ દેશભરના ડૉક્ટરોને કર્યા સચેત, લોકોને કરી ખાસ અપીલ

વધતી ઉંમર અને ખોરાકથી B12 એબ્સોર્બ કરવાની ક્ષમતા ઘટે છે

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઉંમર વધવાની સાથે શરીરમાં બી12ને  શોષણ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. કેટલીક દવાઓ, પાચન સંબંધિત સમસ્યાઓ અને સંપૂર્ણપણે શાકાહારી ડાયટ પણ બી12 ની ઉણપનું જોખમ વધારી શકે છે. જો કે રિસર્ચર્સે સ્પષ્ટ કર્યું છે કે આ સ્ટડી સીધી રીતે એ સાબિત નથી કરતી કે ઓછું એક્ટિવ બી12 જ માનસિક નબળાઈનું કારણ છે. પરંતુ તે ચોક્કસપણે દર્શાવે છે કે સામાન્ય રિપોર્ટ આવવા છતાં મગજમાં ફેરફારો શરૂ થઈ શકે છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤