લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Kinjal Rabari Case Update : કિંજલ-અશોકનો વિદેશ જવાનો હતો પ્લાન? આધાર કાર્ડ અને દસ્તાવેજો મોકલ્યાની વાતથી તપાસમાં નવા સવાલો

by

Thenewsdk

Updated: 08-09-2026, 09.48 AM

Follow us:

ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી અને તેના પૂર્વ પતિ અશોક ચૌધરી સાથે જોડાયેલો હાઈપ્રોફાઈલ કેસ દિવસેને દિવસે વધુ ગૂંચવાઈ રહ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં CBD Mallની બહારથી કિંજલ કાળા રંગની ક્રેટા કારમાં બેસીને ગયા બાદ કથિત અપહરણની ચર્ચા શરૂ થઈ હતી.

જોકે, ત્યારબાદ કિંજલનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે ગઈ હોવાનો દાવો કર્યો હતો. હવે તપાસ દરમિયાન બંનેના મોબાઈલ લોકેશન અને દસ્તાવેજોને લઈને નવી વિગતો સામે આવી હોવાના દાવા થઈ રહ્યા છે.

સરપંચની કારમાં કિંજલ ગઈ હોવાનો દાવો, વિદેશ જવાની આશંકા
તપાસ સાથે જોડાયેલી નવી માહિતી અનુસાર, કિંજલ જે કાળા રંગની ક્રેટા કારમાં બેસીને ગઈ હતી તેની ઓળખ થઈ હોવાનું કહેવાય છે. આ કાર મહેસાણા પંથકના એક સ્થાનિક સરપંચની હોવાનું અને સરપંચ અશોક ચૌધરીનો મિત્ર હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત કિંજલ અને અશોક સતત એકબીજાના સંપર્કમાં હોવાની માહિતી પણ સામે આવી છે. બનાવના આશરે ચાર દિવસ પહેલાં કિંજલે પોતાના ઓળખપત્ર સહિતના કેટલાક મહત્વના દસ્તાવેજો અશોક ચૌધરીને મોકલ્યા હોવાની વિગતો તપાસમાં સામે આવી હોવાનો દાવો છે.

આ આધારે બંનેએ પૂર્વઆયોજિત રીતે વિદેશ જવાની તૈયારી કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, બંને ખરેખર વિદેશ પહોંચ્યા છે કે નહીં તેની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

વૈષ્ણોદેવી સર્કલ પાસે મળ્યું બંનેના ફોનનું છેલ્લું લોકેશન
કિંજલ અને અશોકના મોબાઈલ ફોનનું છેલ્લું લોકેશન અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક મળ્યું હોવાની માહિતી સામે આવી છે. ત્યારબાદ બંનેના મોબાઈલ ફોન સતત સ્વિચ ઓફ હોવાનું કહેવાય છે.

આ કારણે પોલીસની તપાસ હવે અમદાવાદથી આગળ પણ લંબાવવામાં આવી રહી છે. બંનેએ એરપોર્ટ મારફતે દેશ છોડ્યો છે કે પછી અન્ય કોઈ માર્ગ અપનાવ્યો છે તે જાણવા માટે એરપોર્ટ તથા મુખ્ય માર્ગોના CCTV ફૂટેજ સહિતની વિગતો તપાસવામાં આવી રહી છે. વિદેશ જવાની આશંકા અંગે પણ પોલીસ તમામ શક્યતાઓ ચકાસી રહી હોવાનું જાણવા મળે છે.

કિંજલે પિયરપક્ષ પર લગાવ્યા ગંભીર આરોપો
આ સમગ્ર મામલામાં કિંજલ રબારી દ્વારા સામે આવેલા વીડિયોએ તપાસને વધુ જટિલ બનાવી છે. કિંજલે વીડિયોમાં પોતે અશોક ચૌધરીની પત્ની હોવાનું જણાવ્યું હતું અને પોતાના પિયરપક્ષ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

કિંજલના દાવા મુજબ, તેના પિયરપક્ષે તેને બળજબરીથી ઘરકેદ રાખી અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરાવ્યા હતા અને ત્યાં તેના જીવને જોખમ હોવાનું તેણે જણાવ્યું હતું. કિંજલે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને પણ પોતાના પતિ અથવા સસરા પક્ષ સામે ખોટી ફરિયાદ ન નોંધવા વિનંતી કરી હોવાનું જણાવાયું છે.

છૂટાછેડા બાદ ફરી અશોક સાથે જવાની વાતથી કેસમાં ગૂંચવણ
કિંજલ અને અશોકના અગાઉ લગ્ન થયા હતા, પરંતુ પરિવારના વિરોધ બાદ ઓગસ્ટ 2026માં બંને વચ્ચે છૂટાછેડાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ કિંજલના લગ્ન મુકેશ દેસાઈ સાથે કરાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ દરમિયાન કિંજલ અશોક સાથે પોતાની મરજીથી ગઈ હોવાનો વીડિયો સામે આવતા પોલીસ સામે મુખ્ય કાયદાકીય સવાલ ઊભો થયો છે કે સમગ્ર મામલામાં અપહરણનો ગુનો બને છે કે નહીં. હવે કિંજલની ઉંમર, તેની સ્વૈચ્છિક સંમતિ, અગાઉની ફરિયાદો અને સમગ્ર ઘટનાક્રમની કડીઓના આધારે પોલીસ તપાસ આગળ વધારી રહી છે.

પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં લાગી
કિંજલના વીડિયો અને નવી સામે આવેલી વિગતો બાદ પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કાળા રંગની ક્રેટા કાર, તેના માલિક અને સરપંચની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ એરપોર્ટ, શહેરમાંથી બહાર જતા મુખ્ય રસ્તાઓ અને અન્ય મહત્વના સ્થળોના CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. કિંજલ અને અશોકના મોબાઈલ લોકેશન તથા દસ્તાવેજોની પણ તપાસ થઈ રહી છે. હાલ બંને ક્યાં છે અને ખરેખર વિદેશ ગયા છે કે નહીં તે અંગે પોલીસની સત્તાવાર તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

વાયરલ વીડિયોમાં રાખીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ‘હિન્દુ ધર્મમાં એવી શું ખામી હતી કે તમે ધર્મ બદલી નાખ્યો?’ તેના જવાબમાં રાખીએ કહ્યું કે હિન્દુ ધર્મમાં ક્યારેય કોઈ ખામી નહોતી અને હોઈ પણ ન શકે. તેણે જણાવ્યું કે તેણે મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને નિકાહની પ્રક્રિયા દરમિયાન તેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો. રાખીએ વધુમાં કહ્યું કે તે પોતાને નસીબદાર માને છે કે તેને મક્કા-મદીનાનો બુલાવો આવ્યો. તલાક બાદ પણ ઈસ્લામમાં વિશ્વાસ હોવાનો દાવો આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન તૂટ્યા બાદ પણ રાખી પોતાને ઈસ્લામ સાથે જોડાયેલી માને છે. તે અલ્લાહમાં વિશ્વાસ રાખતી હોવાનું કહે છે અને અગાઉ મક્કા-મદીના ઉમરાહ માટે પણ જઈ ચૂકી છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. આદિલ ખાન સાથેનું લગ્નજીવન રહ્યું વિવાદોમાં રાખી સાવંત અને આદિલ ખાન દુર્રાનીનું અલગ થવું પણ ભારે વિવાદોમાં રહ્યું હતું. બંનેએ મીડિયા અને સોશિયલ મીડિયા પર એકબીજા સામે અનેક આક્ષેપો કર્યા હતા. રાખીએ આદિલ પર મારપીટ, છેતરપિંડી અને પૈસાની હેરાફેરી સહિતના ગંભીર આરોપો લગાવ્યા હતા. આદિલે આ આરોપોને નકારી કાઢ્યા હતા; બંને વચ્ચેના વિવાદને લઈને કાયદાકીય કાર્યવાહી પણ થઈ હતી. બે લગ્ન બાદ હવે સિંગલ છે રાખી રાખી સાવંતની લવ લાઇફ હંમેશાં ચર્ચામાં રહી છે. રિતેશ બાદ આદિલ ખાન દુર્રાની સાથેનો સંબંધ પણ તૂટ્યો અને હવે તે સિંગલ છે. જો, કે પોતાના બેબાક નિવેદનો અને અનોખા અંદાજને કારણે રાખી સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

Created with ❤