લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

તાવમાં પેરાસીટામોલ ક્યારે આપવું? ઘરે શું કરવું અને કયા લક્ષણોમાં તરત હોસ્પિટલ દોડવું, જાણો જરૂરી વાતો

by

Thenewsdk

Updated: 08-09-2026, 03.52 PM

Follow us:

કેટલાક કિસ્સાઓમાં દર્દીના શરીરનું તાપમાન 103 ડિગ્રી ફેરનહીટ (°F) સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં તબીબો તાત્કાલિક હોસ્પિટલ જવાની સલાહ આપે છે પરંતુ, ઘણીવાર રાત્રિના સમયે, અંતરિયાળ વિસ્તારમાં કે વાહનની સુવિધા ન હોવાને કારણે તરત જ તબીબ સુધી પહોંચવું શક્ય બનતું નથી. આવી ઈમરજન્સી સ્થિતિમાં ઘરે રહીને દર્દીની સ્થિતિ કેવી રીતે કાબૂમાં લાવવી તે જાણવું અત્યંત જરૂરી છે.

સૌપ્રથમ તાપમાન ફરીથી ચકાસો અને ડીહાઈડ્રેશન અટકાવો
જો થર્મોમીટરમાં 102 કે 103 ડિગ્રી તાવ બતાવે છે તો પહેલા ડીજિટલ થર્મોમીટરની મદદથી તાપમાન ફરી એકવાર યોગ્ય રીતે ચકાસી લો. દર થોડા સમયે તાપમાન ચેક કરતા રહો. આ દરમિયાન એ પણ ધ્યાન રાખો કે તાવની સાથે મોં સુકાવું, વધારે પડતી નબળાઈ કે ચક્કર આવવા જેવા લક્ષણો તો નથી ને? જો આવું થઈ રહ્યું હોય તો તે શરીરમાં પાણીની અછત (Dehydration) ના લક્ષણો છે. હાઈ ફીવરમાં દર્દીના શરીરમાંથી પાણી ઓછું ન થવું જોઈએ. આ માટે દર્દીને સતત પાણી, ORS, નાળિયેર પાણી કે પતળા પ્રવાહી પદાર્થો આપતા રહેવું જોઈએ.

શરીરને ગરમ ન રાખો અને પેરાસીટામોલનો યોગ્ય ઉપયોગ કરો
નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના કમ્યુનિટી મેડિસિન વિભાગના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ. જુગલ કિશોરના જણાવ્યા અનુસાર જો કોઈ કારણસર તાત્કાલિક હોસ્પિટલ ન જઈ શકાતું હોય તો દર્દીને સંપૂર્ણ આરામ કરવા દો.

દવાનો ઉપયોગ: તાવની સાથે શરીરમાં અસહ્ય દુખાવો, માથાનો દુખાવો કે બેચેની હોય તો પેરાસીટામોલ (Paracetamol 500mg/650mg) નો ઉપયોગ કરી શકાય છે. ડોક્ટરની સલાહ મુજબ 4થી 6 કલાકના અંતરે એક ગોળી આપી શકાય છે.

કપડાં અને વાતાવરણ: દર્દીને જાડા ધાબળા કે ગરમ કપડાંમાં વંટાળીને ન રાખો. રૂમનું તાપમાન સામાન્ય રાખો જેથી શરીરની ગરમી બહાર નીકળી શકે.

વોટર સ્પોન્જિંગ (પાણીની પટ્ટીઓ)નો પ્રયોગ
જો દવાથી પણ તાવ ઓછો ન થઈ રહ્યો હોય તો ‘કોલ્ડ સ્પોન્જિંગ’ અથવા સાદા પાણીની પટ્ટીઓ મૂકવી સૌથી અસરકારક ઉપાય છે. દર્દીના કપાળ, ડોક, બગલ અને હથેળીઓ પર સાદા (નળના) પાણીમાં પલાળેલું કાપડ મૂકો. ધ્યાનમાં રાખો કે ક્યારેય પણ એકદમ બરફ જેવા ઠંડા પાણીનો ઉપયોગ ન કરવો, તેનાથી શરીર ધ્રૂજવા લાગે છે અને તાપમાન વધુ વધી શકે છે.

આ ખતરનાક લક્ષણો દેખાય તો તરત જ ઈમરજન્સી મેડિકલ હેલ્પ લો
103 ડિગ્રી તાવની સાથે જો દર્દીને નીચે મુજબના લક્ષણો દેખાય તો ઘરે વધુ રાહ જોવી જોખમી સાબિત થઈ શકે છે.

  • શ્વાસ લેવામાં તકલીફ પડવી કે ખૂબ ઝડપથી શ્વાસ લેવા.
  • અસહ્ય અને સતત થતો માથાનો દુખાવો.
  • છાતીમાં દુખાવો અથવા ગભરામણ થવી.

આંચકી આવવી અથવા દર્દી બેભાન જેવો થઈ જવો. આવા કિસ્સામાં રાહ જોયા વગર નજીકની ઈમરજન્સી હોસ્પિટલમાં દર્દીને પહોંચાડવો અત્યંત અનિવાર્ય છે.

હાઈ ફીવર ફર્સ્ટ એઈડ અંગે વિશેષ અને ટેક્નિકલ માહિતી

  • સામાન્ય અને હાઈ ફીવરનું તાપમાન આંકડાકીય રીતે: માનવ શરીરનું સરેરાશ સામાન્ય તાપમાન 98.6°F (37°C) હોય છે. જો તાપમાન 100.4°F (38°C) થી ઉપર જાય તો તેને તાવ કહેવાય છે, પરંતુ 103°F (39.4°C) કે તેથી વધુ તાપમાનને ‘હાઈ ગ્રેડ ફીવર’ (High-grade fever) ગણવામાં આવે છે.
  • સ્વાઈન ફ્લૂ અને ડેન્ગ્યુમાં સાવચેતી: ડેન્ગ્યુ કે વાયરલ ફીવરમાં ક્યારેય પણ ડૉક્ટરની સલાહ વિના Aspirin (એસ્પિરિન) કે Ibuprofen (આઈબુપ્રોફેન) જેવી પેઈનકિલર્સ ન આપવી જોઈએ. આ દવાઓથી બ્લીડિંગ (રક્તસ્ત્રાવ) થવાનું કે પ્લેટલેટ્સ ઘટવાનું જોખમ વધી જાય છે. ફક્ત ‘Paracetamol’ જ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

વાયરલ વીડિયોમાં રાખીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ‘હિન્દુ ધર્મમાં એવી શું ખામી હતી કે તમે ધર્મ બદલી નાખ્યો?’ તેના જવાબમાં રાખીએ કહ્યું કે હિન્દુ ધર્મમાં ક્યારેય કોઈ ખામી નહોતી અને હોઈ પણ ન શકે. તેણે જણાવ્યું કે તેણે મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને નિકાહની પ્રક્રિયા દરમિયાન તેણે ઈસ્લામ કબૂલ કર્યો હતો. રાખીએ વધુમાં કહ્યું કે તે પોતાને નસીબદાર માને છે કે તેને મક્કા-મદીનાનો બુલાવો આવ્યો. તલાક બાદ પણ ઈસ્લામમાં વિશ્વાસ હોવાનો દાવો આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન તૂટ્યા બાદ પણ રાખી પોતાને ઈસ્લામ સાથે જોડાયેલી માને છે. તે અલ્લાહમાં વિશ્વાસ રાખતી હોવાનું કહે છે અને અગાઉ મક્કા-મદીના ઉમરાહ માટે પણ જઈ ચૂકી છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. આદિલ ખાન સાથેનું લગ્નજીવન રહ્યું વિવાદોમાં રાખી સાવંત અને આદિલ ખાન દુર્રાનીનું અલગ થવું પણ ભારે વિવાદોમાં રહ્યું હતું. બંનેએ મીડિયા અને સોશિયલ મીડિયા પર એકબીજા સામે અનેક આક્ષેપો કર્યા હતા. રાખીએ આદિલ પર મારપીટ, છેતરપિંડી અને પૈસાની હેરાફેરી સહિતના ગંભીર આરોપો લગાવ્યા હતા. આદિલે આ આરોપોને નકારી કાઢ્યા હતા; બંને વચ્ચેના વિવાદને લઈને કાયદાકીય કાર્યવાહી પણ થઈ હતી. બે લગ્ન બાદ હવે સિંગલ છે રાખી રાખી સાવંતની લવ લાઇફ હંમેશાં ચર્ચામાં રહી છે. રિતેશ બાદ આદિલ ખાન દુર્રાની સાથેનો સંબંધ પણ તૂટ્યો અને હવે તે સિંગલ છે. જો, કે પોતાના બેબાક નિવેદનો અને અનોખા અંદાજને કારણે રાખી સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

Created with ❤