![]()
અમદાવાદ : કર્મચારીઓના ખર્ચમાં ઘટાડો અને વ્યાજના બોજમાં ઘટાડો થવાથી ભારતીય કંપનીઓને ફાયદો થયો છે. ઓછા પગાર અને વેતન સાથે વ્યાજ ખર્ચ પર બચત, કાચા માલના વધેલા ખર્ચને મોટાભાગે સરભર કરે છે. પરિણામે, નાણાકીય વર્ષ ૨૦૨૬ના ચોથા ક્વાર્ટરમાં કંપનીઓનો કર પછીનું નફા માર્જિન ૧૧.૩% હતું, જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૬૦ બેસિસ પોઈન્ટનો વધારો છે અને ઓછામાં ઓછા છેલ્લા ૨૧ ક્વાર્ટરમાં સૌથી વધુ નફાનો માર્જિન છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ ના ચોથા ક્વાર્ટરમાં નફાના માર્જિનમાં નાણાકીય વર્ષ ૨૦૨૬ ના ત્રીજા ક્વાર્ટરમાં ૧૦.૬% નફાના માજનથી ૭૦ બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.લ નાણાકીય વર્ષ ૨૦૨૬ ના ચોથા ક્વાર્ટરમાં, કંપનીઓના નફાના માર્જિનમાં છેલ્લા પાંચ વર્ષમાં લગભગ ત્રીજા ભાગનો વધારો થયો છે. માર્ચ ૨૦૨૧ ક્વાર્ટરમાં, તે ૮.૬% હતો.
૮૩૭ કંપનીઓનો સંયુક્ત ચોખ્ખો નફો નાણાકીય વર્ષ ૨૦૨૬ ના ચોથા ક્વાર્ટરમાં ૧૫.૫% વધ્યો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન તેમની આવકમાં ૯.૫% વધારો થયો છે. આ કંપનીઓનો સંયુક્ત સમાયોજિત ચોખ્ખો નફો નાણાકીય વર્ષ ૨૦૨૬ ના ચોથા ક્વાર્ટરમાં આશરે રૂા. ૩.૨૪ લાખ કરોડ હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૫ના ચોથા ક્વાર્ટરમાં રૂા. ૨.૮૧ લાખ કરોડ હતો.
બીજી બાજુ, આ કંપનીઓની કુલ આવક નાણાકીય વર્ષ ૨૦૨૬ના ચોથા ક્વાર્ટરમાં વધીને આશરે રૂા. ૨૮.૬૫ લાખ કરોડ થઈ ગઈ છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫ના ચોથા ક્વાર્ટરમાં રૂા. ૨૬.૧૬ લાખ કરોડ અને નાણાકીય વર્ષ ૨૦૨૬ના ત્રીજા ક્વાર્ટરમાં રૂા. ૨૭.૭૧ લાખ કરોડ હતી. ચોથા ક્વાર્ટરમાં પગાર અને વેતન અને વ્યાજ ખર્ચ જેવા મુખ્ય ખર્ચમાં વૃદ્ધિ ધીમી પડી, જેનાથી કંપનીઓને નફાના માર્જિનમાં સુધારો કરવામાં મદદ મળી હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૬ ના ચોથા ક્વાર્ટરમાં, કંપનીઓ માટે કુલ પગાર વૃદ્ધિ ૬.૪% હતી, જ્યારે વેચાણ અને માર્કેટિંગ ખર્ચમાં ૩.૬% નો વધારો થયો હતો.
જોકે, કોર્પોરેટ નફાકારકતામાં સૌથી મોટો ફાયદો ઓછો વ્યાજ ખર્ચથી થયો હતો. બેંકો અને નોન-બેંક ધિરાણકર્તાઓએ આ લાભ પર પ્રભુત્વ મેળવ્યું હતું, જે નમૂના કંપનીઓના કુલ ચોખ્ખા નફાના આશરે ૪૩% હિસ્સો ધરાવે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ ના ચોથા ક્વાર્ટરમાં કંપનીઓના કુલ વ્યાજ ખર્ચમાં માત્ર ૨.૮% નો વધારો થયો હતો, જે છેલ્લા ૧૬ ક્વાર્ટરમાં સૌથી ધીમો વિકાસ છે. બેંકો, ફાઇનાન્સ અને વીમા (BFSI) કંપનીઓને નીચા વ્યાજ દરોથી સૌથી વધુ ફાયદો થયો હતો, નાણાકીય વર્ષ ૨૦૨૬ ના ચોથા ક્વાર્ટરમાં તેમના કુલ વ્યાજ ખર્ચમાં માત્ર ૨.૨% નો વધારો થયો હતો.
નાણાકીય વર્ષ ૨૦૨૬ ના ચોથા ક્વાર્ટરમાં, આ કંપનીઓના પગાર અને મહેનતાણું ખર્ચ કુલ આવકના ૧૧.૩% હતા, જે ઓછામાં ઓછા છેલ્લા ૨૧ ક્વાર્ટરમાં સૌથી ઓછો છે. તેવી જ રીતે, કુલ આવકમાં વ્યાજ ખર્ચનો હિસ્સો નાણાકીય વર્ષ ૨૦૨૫ના ચોથા ક્વાર્ટરમાં ૧૭.૬% થી ઘટીને ચોથા ક્વાર્ટરમાં ૧૬.૧% થયો છે.


Leave a Comment