લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Abhijeet Dipke Declares Protest : ‘અનશન પૂરું થયું છે, આંદોલન નહીં!’: સોનમ વાંગચુકના પારણાં બાદ અભિજિત દીપકેની મોટી જાહેરાત

by

Thenewsdk

Updated: 24-07-2026, 11.23 AM

Follow us:

NEET પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે 26 દિવસ સુધી ઉપવાસ પર રહેલા સોનમ વાંગચુકે સરકારના આશ્વાસન બાદ અનશન સમેટી લીધું છે. જો, કે તેમના ઉપવાસ પૂર્ણ થતાં જ CJPના નેતા અભિજિત દીપકેએ સ્પષ્ટ કર્યું છે, કે વાંગચુકનું અનશન પૂર્ણ થયું છે, પરંતુ વિદ્યાર્થીઓનું આંદોલન હજુ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું, કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રહેશે.

અભિજિત દીપકે કહ્યું- લડાઈ હજુ પૂરી થઈ નથી
સોનમ વાંગચુકના ઉપવાસ પૂર્ણ થયા બાદ અભિજિત દીપકેએ તેમના ત્યાગ અને સંઘર્ષની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે 26 દિવસ સુધી પોતાના જીવની પરવા કર્યા વિના વાંગચુકે દેશના વિદ્યાર્થીઓના હિત માટે લડત આપી છે. દીપકેએ કહ્યું કે તેમનો સંઘર્ષ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે અને CJP પોતાની મુખ્ય માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન પાછું ખેંચશે નહીં.

સરકારના આશ્વાસન બાદ વાંગચુકે સમેટ્યું અનશન
તબિયત બગડતાં સોનમ વાંગચુકને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહે તેમની મુલાકાત લીધી હતી. સરકાર તરફથી આંદોલનકારીઓની માંગણીઓ પર સકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપવામાં આવી હતી. સાથે જ જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારા અને 20 જુલાઈના ‘સંસદ ચલો માર્ચ’ દરમિયાન નોંધાયેલા કેસો અંગે પણ યોગ્ય નિર્ણય લેવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

પરીક્ષા સુધારા અને પીડિત પરિવારોને રાહત પર ચર્ચા
સરકાર અને આંદોલનકારીઓ વચ્ચેની બેઠકમાં પ્રશ્નપત્ર લીક અટકાવવા માટે પરીક્ષા પ્રણાલીમાં સુધારા, આ મુદ્દે સંસદમાં ચર્ચા તેમજ NEET વિવાદ બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. સરકાર દ્વારા આ તમામ મુદ્દાઓ પર સકારાત્મક વલણ દર્શાવવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

વાંગચુક અને PM મોદીની પ્રતિક્રિયા
અનશન સમેટ્યા બાદ સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર જણાવ્યું, કે સરકાર સાથે લાંબી ચર્ચા અને દેશમાં કોઈ અપ્રિય પરિસ્થિતિ ઊભી ન થાય તે હેતુથી તેમણે ઉપવાસ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ઝડપી સ્વાસ્થ્યલાભની શુભેચ્છા પાઠવી હતી. જો, કે CJPએ સ્પષ્ટ કર્યું છે, કે સરકારના આશ્વાસન છતાં શિક્ષણ મંત્રીના રાજીનામા સહિતની મુખ્ય માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી જંતર-મંતર પર વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤