લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Jammu Kashmir Heavy Rain : જમ્મુ કાશ્મીરમાં 48 કલાકમાં 24ના મોત, વૈષ્ણોદેવી-અમરનાથ યાત્રા અચાનક બંધ થતાં 15,000 શ્રદ્ધાળુઓ ફસાયા

by

Thenewsdk

Updated: 21-07-2026, 02.06 PM

Follow us:

જમ્મુ-કાશ્મીરમાં ભારે વિનાશ સર્જ્યો છે, જેના કારણે સ્થાનિક નાગરિકો, મુસાફરો અને યાત્રાળુઓ માટે અત્યંત ભયાનક સ્થિતિ ઊભી થઈ છે. પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલા ભૂસ્ખલન, મકાનો ધસી પડવા અને હોનારતોને લીધે છેલ્લા 48 કલાકમાં કુલ 24 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 6 લોકો હજુ પણ કાદવ અને પૂરના પાણીમાં લાપતા છે. આ પરિસ્થિતિને કારણે ઉત્તર ભારતની સૌથી મોટી ધાર્મિક યાત્રાઓ થંભી ગઈ છે અને હજારો શ્રદ્ધાળુઓ માર્ગમાં જ અટવાઈ પડ્યા છે.

સુરક્ષાના ભાગરુપે યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો
વરસાદ અને ભૂસ્ખલનના ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સુરક્ષાના ભાગરૂપે માતા વૈષ્ણોદેવી, અમરનાથ, શિવખોડી અને સરથલ યાત્રા સ્થગિત કરી દીધી છે. એકલા કટડા ખાતે જ 15,000થી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા પુનઃ શરૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વૈષ્ણોદેવીના પહાડી માર્ગો પર પથ્થરો પડવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે પરંતુ, યાત્રા સમયસર રોકી દેવાતા મોટી જાનહાનિ ટળી છે. હાલ માત્ર અમરનાથ ધામ માટે બાલ્તાલના માર્ગેથી મર્યાદિત શ્રદ્ધાળુઓને જ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી છે.

મુસાફરો ભરેલી બસ પર એકાએક ખડક ધસી પડતાં બેના મોત
પહાડી રસ્તાઓ પર મુસાફરી પણ અત્યંત જોખમી બની ગઈ છે. ડોડા જિલ્લામાં ભદ્રવાહથી જમ્મુ આવી રહેલી એક મુસાફર બસ પર પહાડ પરથી વિશાળ ખડક ધસી પડતાં 2 મુસાફરોના કરૂણ મોત થયા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સિવાય સતત થઈ રહેલા ધોવાણને કારણે અનેક મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના પરિણામે ડઝનબંધ ગામડાઓનો સંપર્ક મુખ્ય મથકોથી સંપૂર્ણપણે કપાઈ ગયો છે.

એક મૃતદેહને બહાર કાઢવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ
સૌથી વધુ વિનાશના દૃશ્યો રાજૌરી અને પુંચ જિલ્લામાં જોવા મળી છે, જ્યાં બે દિવસમાં કુલ 21 લોકોના મોત થયા છે. પુંચના સુરનકોટ તાલુકાના લોરન ગામમાં એક કાચા મકાન પર પહાડ પરથી ભારે મલબો પડતાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા, જેમાં ચાર મહિલાઓ પણ સામેલ છે. બીજી તરફ, તવી અને ચિનાબ નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જ્યારે રાજૌરીની મનાવર નદીમાં ઉફાન આવતાં હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

લોકોને પહાડી વિસ્તારમાં બિનજરુરી પ્રવાસ ટાળવા તંત્રની અપીલ
સ્થિતિની ગંભીરતાને જોતાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મૃતકોના પરિજનોને ₹6-6 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. હવામાન વિભાગે 23 જુલાઈ સુધી ભારે વરસાદ અને ભૂસ્ખલનનું એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને પહાડી વિસ્તારોમાં બિનજરૂરી પ્રવાસ ટાળવા કડક સૂચના આપી છે. વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરીને પહોંચી વળવા માટે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ્દ કરી દીધી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤