લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા, પેરા એશિયન ગેમ્સ 2026 માટે કર્યું હતું ક્વોલિફાય | national para athlete chirag tyagi dead in sai upvan ghaziabad kotwali police

by

Thenewsdk

Updated: 30-05-2026, 11.39 PM

Follow us:

પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા, પેરા એશિયન ગેમ્સ 2026 માટે કર્યું હતું ક્વોલિફાય | national para athlete chirag tyagi dead in sai upvan ghaziabad kotwali police



Chirag Tyagi Murder Case: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. માહિતી મુજબ, ચિરાગ ત્યાગીનો મૃતદેહ સાઈ ઉપવનમાં મળ્યો. ચિરાગ મુરાદનગરના બસંતપુર સૈંથલીના રહેવાસી હતો. ઘટનાની જાણકારી મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, હાલ મૃતકની પ્રેમિકા, કોચ અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવાયો: પોલીસ

DCP સિટી ઝોને જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ આ મામલો મર્ડરનો લાગી રહ્યો છે. સીસીટીવીના આધારે એક શંકાસ્પદને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. સૂત્ર મુજબ પહેલા ચિરાગને વીજળીનો ઝટકો આપવામાં આવ્યો બાદમાં ગોળી મારવામાં આવી.

પેરા એશિયન ગેમ્સ 2026 માટે ક્વોલિફાય કર્યું હતું

મહત્વનું છે કે ચિરાગ ત્યાગીએ પેરા એશિયન ગેમ્સ 2026 માટે ક્વોલિફાય કર્યું હતું. તે 100 મીટર અને 400 મીટર દોડમાં ભાગ લેતો હતો. ચિરાગે નેશનલ અને ઈન્ટરનેશનલ મંચો પર શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું. એક એથલીટ તરીકે તેની ખાસ ઓળખ હતી. બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં 26 થી 28 માર્ચ સુધી 8મી ઈન્ડિયન ઓપન પેરા એથ્લેટિક્સ ઈન્ટરનેશનલ પ્રતિયોગિતા થઈ હતી. તેમાં ગાઝિયાબાદના6 પેરા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા મેડલ જીત્યા હતા. સાથે જ એશિયન પેરા ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું હતું. એશિયન ગેમ્સ જાપાનમાં 18 થી 24 ઓક્ટોબર વચ્ચે યોજાશે. તેમાં ભાગ લેવા માટે ત્યાગીએ 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને 1500 મીટરમા સિલ્વર મેડલ જીતીને પેરા એશિયન ગેમ્સ 2026 માટે ક્વોલિફાય કર્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક બ્રિજ ધારાશાયી, નિર્માણાધીન ઓવરબ્રિજ કડાકાભેર તૂટ્યો, ભ્રષ્ટાચાર કે બેદરકારી?

તે બેંગલુરુથી ગઈકાલે શુક્રવારે જ દિલ્હી પહોંચ્યા હતા. ગાઝિયાબાદના મુરાદનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બસંતપુર સેંથલી ગામમાં રહેતા મનોજ ત્યાગી ખેડૂત છે. ચિરાગ ત્યાગી તેમનો એકમાત્ર પુત્ર હતો. ચિરાગ ત્યાગીના સગા કાકા દીપક ત્યાગીએ જણાવ્યું કે એક અઠવાડિયા પહેલા ચિરાગ ઘરથી બેંગલુરુમાં કેમ્પમાં ગયો હતો. ત્યાં એક અઠવાડિયું રોકાયા બાદ 29 મેના રોજ દિલ્હી પહોંચ્યો હતો. ત્યાં તે નેહરુ સ્ટેડિયમમાં રોકાયો હતો. આજે સવારે ચિરાગ સાથે ફોન પર મારી વાત થઈ હતી. ભત્રીજાએ મને જણાવ્યું હતું કે હું 3 વાગ્યા સુધીમાં ઘરે આવીશ. પરંતુ, બપોર પછી તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો. ત્યારબાદ ગાઝિયાબાદની કોતવાલી પોલીસે માહિતી આપી કે ચિરાગ સાથે ઘટના ઘટી છે, તમે લોકો પોલીસ સ્ટેશને આવી જાઓ. અહીં ખબર પડી કે ચિરાગની હત્યા કરી દેવામાં આવી છે. મૃતદેહ કોતવાલી વિસ્તારના સાઈ ઉપવન પાસે મળ્યો છે. હાલમાં ચિરાગના પરિવારજનો, કોચ અને સાથી ખેલાડીઓ કોતવાલીમાં હાજર છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤