લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

છોટા ઉદેપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભારે હોબાળો: ‘આપ’ના 3 સભ્યોનું અપહરણ થયાના આક્ષેપ | Chhota Udepur Taluka Panchayat Poll Row: AAP Alleges Kidnapping of 3 Members

by

Thenewsdk

Updated: 23-05-2026, 12.54 PM

Follow us:

છોટા ઉદેપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભારે હોબાળો: ‘આપ’ના 3 સભ્યોનું અપહરણ થયાના આક્ષેપ | Chhota Udepur Taluka Panchayat Poll Row: AAP Alleges Kidnapping of 3 Members



Chhota Udepur Taluka Panchayat Election: છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી ભારે હંગામેદાર અને વિવાદાસ્પદ રહી છે. પોલીટેકનિક કોલેજ કેમ્પસમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટી (AAP)ના ત્રણ સભ્યોને પોલીસની હાજરીમાં જ બુકાનીધારીઓ ઉઠાવી ગયા હોવાનો સળગતો આક્ષેપ ‘આપ’ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે કોલેજના ગેટ પર ‘આપ’ના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે, આ તમામ આક્ષેપો અને વિવાદો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વિજય મેળવીને તાલુકા પંચાયત પર ભગવો લહેરાવ્યો છે.

સરખા સભ્યો હોવાથી જંગ રસપ્રદ બન્યો હતો

છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તાનું ગણિત ખૂબ જ રસપ્રદ હતું. અહીં કુલ બેઠકોમાંથી આમ આદમી પાર્ટી 13 સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યો હતા. બંને પક્ષો પાસે સરખા સભ્યો હોવાથી પ્રમુખ પદની ચૂંટણીમાં ભારે રસાકસી જામી હતી. ‘આપ’ના તમામ 13 સભ્યો જ્યારે મતદાન કરવા માટે કેમ્પસમાં પહોંચ્યા ત્યારે સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી.

પોલીસની હાજરીમાં સભ્યોને ઉઠાવી ગયાનો ‘આપ’નો આક્ષેપ

આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સદસ્યોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, તાલુકા પંચાયત કેમ્પસમાં 10થી 12 બુકાનીધારી અસામાજિક તત્ત્વો પહેલેથી જ હાજર હતા. ‘આપ’ના સભ્યો જેવા ત્યાં પહોંચ્યા કે તરત જ આ બુકાનીધારીઓએ તેમના પર હુમલો કર્યો હતો. અન્ય સભ્યોને માર મારીને તેમાંથી 3 સભ્યોને બળજબરીપૂર્વક ખાનગી વાહનોમાં બેસાડીને ઉઠાવી ગયા હતા. આ ઘટનાને પગલે કેમ્પસમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

‘આપ’ના નેતાઓ અને ભોગ બનનારના પરિવારોએ આક્રોશ સાથે જણાવ્યું કે, જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસ ત્યાં હાજર હતી, પરંતુ પોલીસે સભ્યોને બચાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. સત્તાધારી પક્ષ ભાજપે સત્તાના જોરે, સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને પોલીસની મિલીભગતથી લોકશાહીનું ખૂન કર્યું છે. ભોગ બનનાર પરિવારોએ પોલીસ સમક્ષ તેમના સભ્યોને તાત્કાલિક હાજર કરવાની ઉગ્ર માંગ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: મેટ્રોમોનિયલ સાઇટ પર ડાયવોર્સી કહી યુવતીને જાળમાં ફસાવી, સિંદૂર ભરી હોટલમાં આચર્યું દુષ્કર્મ

ભાજપે આક્ષેપો નકાર્યા 

બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. આ રાજકીય ઘમસાણ અને હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે જ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં ભાજપનો વિજય થયો છે. પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા ચૂંટાયા છે, જ્યારે ઉપ પ્રમુખ તરીકે સુરજીભાઈ રાઠવા વિજેતા બન્યા છે.

કદવાલ તાલુકા પંચાયતમાં આપના સદસ્ય ગેરહાજર રહેતા ભાજપની જીત

બીજી તરફ કદવાલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના સદસ્ય રમણ શંકર બારિયા ગેર હાજર રહેતાં ભાજપના પ્રમુખને મળ્યા 8 મત મળ્યા હતા. જ્યારે આપને 7 મત મળતાં ભાજપના પ્રમુખ રમીલાબહેન બારિયાની જીત હતી.  



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤