HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

100માંથી 2-4 છોકરીનું જીવન જ પવિત્ર હશે, એવું જ છોકરાઓનું પણ હોય છે… પ્રેમાનંદ મહારાજના નિવેદનથી વિવાદ

Avatar photo
Updated: 30-07-2025, 10.44 AM

Follow us:

પ્રેમાનંદ મહારાજે કટાક્ષમાં કહ્યું હતું કે આજના સમયમાં માત્ર 2-4 યુવતીઓ એવી હોય છે જે પતિ માટે પોતાની પવિત્રતા જાળવે છે. બહુવિધ સંબંધો ધરાવનારાઓ લગ્ન પછી પતિ કે પત્નીથી સંતોષ પામતા નથી.

એવું પણ ઉમેર્યું હતું કે, જેમણે અનેક સંબંધો જીવી લીધા હોય તેમને માટે એક સંબંધમાં નિષ્ઠાવાન રહેવું મુશ્કેલ બને છે. ‘આવી આદત હોય તો અમૃત પણ શુદ્ધ નહીં કરી શકે,’ એમ તેમણે ઉમેર્યું.

યુવાઓના આચરણને ખાવાની ટેવો સાથે સરખાવી

મહારાજે કહ્યું કે, “આજની યુવતીઓના વસ્ત્રો અને વર્તનમાં શિષ્ટતાનો અભાવ છે. એક બ્રેકઅપ થાય તો તરત બીજું જોડાણ થાય છે. આ વ્યવહારને કારણે સંબંધો પવિત્ર રહ્યા નથી.

જેમ રોજ નવા રેસ્ટોરન્ટમાં ખાવાની ટેવ પડે છે અને પછી ઘરનું ભોજન તૃપ્તિ ન આપે, એમ આજે સંબંધો પણ દેખાવાદીના બની ગયા છે. ભારતની સંસ્કૃતિ સંબંધોમાં સ્થિરતા અને સમર્પણ શીખવે છે, પશ્ચિમની જેમ રોજના પાર્ટનર બદલવાનું અહીં સ્વીકાર્ય નથી.”

લિવ-ઇન સંબંધો અંગે પણ તેમણે અભિપ્રાય આપતાં કહ્યું કે, “આ ભારતીય સંસ્કૃતિ નથી. મોગલોના સમયમાં પણ આપણા પૂર્વજો પોતાનું શરીર બચાવવા જીવ આપતા, પરંતુ માન ગુમાવતા નહોતા.

આજે લગ્ન સમયે લીધેલું સંકલ્પ કેટલાં સાચવે છે?” તેમના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ. કેટલાક યુઝર્સે તેમની વાતોને સમાજની હકીકત ગણાવી છે, તો કેટલાકે મહિલા વિરોધી ગણાવ્યાં છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.