ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના નિર્ણયો જાહેર થઈ ગયા છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે, આ વખતે પણ રેપો રેટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
રેપો રેટ 5.25% પર યથાવત: તમારી EMI પર શું પડશે અસર?
આરબીઆઈ દ્વારા રેપો રેટ 5.25% પર સ્થિર રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી બેંકમાંથી ધિરાણ લેનારા ગ્રાહકોની લોન EMI પર હાલ કોઈ વધારાનો બોજ નહીં પડે. જોકે, દરો ઘટે તેવી આશા રાખતા ગ્રાહકોને થોડી રાહ જોવી પડશે, કારણ કે હાલ તમારી વ્યાજ દર અને માસિક EMI માં કોઈ ફેરફાર થશે નહીં.
વૈશ્વિક અસ્થિરતા અને ક્રૂડ ઓઇલની અસર: RBI ગવર્નરની સ્પષ્ટતા
પોલિસી જાહેર કરતા RBI ગવર્નરે જણાવ્યું હતું કે ‘ન્યુટ્રલ’ વલણ જાળવી રાખીને વ્યાજદરો યથાવત રખાયા છે. તે સિવાય SDF રેટ 5% પર સ્થિર અને MSF રેટ: 5.50% પર સ્થિર છે. પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ)માં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં થતી સતત ઉથલપાથલને કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનો માહોલ છે, જેને ધ્યાનમાં રાખીને આ સાવચેતીભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષે રેપો રેટમાં શું ફેરફાર થયા?
અગાઉ જૂન મહિનામાં યોજાયેલી MPC બેઠકમાં પણ વ્યાજદરો સ્થિર રાખવામાં આવ્યા હતા. વર્ષ 2025માં આરબીઆઈએ સતત રાહત આપતા રેપો રેટમાં કુલ 125 બેસિસ પોઈન્ટ્સ (1.25%)નો ઘટાડો કર્યો હતો, જેનાથી લોનધારકોને મોટો ફાયદો થયો હતો.




Leave a Comment