ટેકનોલોજી

Messenger app, આ તારીખ પછી નઈ કરી શકશો યુઝ

મેટા કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે મેસેન્જર એપ ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે અને યુઝર્સને ચેતવણી આપવા માટે તેમને નોટિફિકેસન પણ આપવામાં આવી રહી છે.

આ એપ 60 દિવસની અંદર સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દેશે. બંધ થયા પછી તમે ફેસબુકની સત્તાવાર વેબસાઇટ અથવા Messenger.com દ્વારા મેસેન્જરને ઍક્સેસ કરી શકશો.

  • આ તારીખ પછી એપ કામ કરશે નહીં

મેટાએ તાજેતરમાં જણાવ્યું હતું કે તે 15 ડિસેમ્બરથી વિન્ડોઝ અને મેક માટે મેસેન્જર ડેસ્કટોપ એપ બંધ કરશે. 15 ડિસેમ્બર પછી તમે હવે એપમાં લોગ ઇન કરી શકશો નહીં અને જ્યારે પણ તમે મેસેન્જર એપને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરશો ત્યારે મેસેન્જર તમને ફેસબુક વેબસાઇટ પર રીડાયરેક્ટ કરશે. 15 ડિસેમ્બર પછી તમારે મેસેન્જર એપને અનઇન્સ્ટોલ કરવી જોઈએ કારણ કે તે હવે કામ કરશે નહીં.

  • મેસેન્જરમાં ચેટ્સનું શું થશે?

યુઝર્સ ચિંતિત છે કે એકવાર એપ બંધ થઈ જાય પછી તેમની ચેટ્સનું શું થશે. મેટા કહે છે કે ચેટ હિસ્ટ્રી ઉપલબ્ધ રહેશે પરંતુ જો તમે સિક્યોર સ્ટોરેઝ ઓપ્સન ઓન કર્યો હોય તો જ. આ સુવિધા તમારી એન્ક્રિપ્ટેડ ચેટ્સને બધા ડિવાઇસો પર સેવ અને સિંક કરવાની મંજૂરી આપે છે.

આ સુવિધા સક્ષમ છે કે નહીં તે તપાસવા માટે એપ્લિકેશન સેટિંગ્સમાં પ્રાઈવેસી અને સેફટી પર જાઓ અને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ્સ પસંદ કરો. પછી ક્ષ સિક્યોર સ્ટોરેઝ ઓપ્સન ઓન છે કે નહીં તે તપાસવા માટે મેસેજ સ્ટોરેજ પર ટેપ કરો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button