અમદાવાદ-પાલનપુર રેલવે વિભાગમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી 14 ઓગસ્ટે નોન-ઇન્ટરલોકિંગ બ્લૉક લેવામાં આવશે.
આ કામગીરી આંબલિયાસણ-જગુદણ-મહેસાણા-ભાંડુ મોટીદાઉ વચ્ચેના રેલવે સેક્શનમાં કરવામાં આવશે. બ્લૉકને કારણે આ રૂટ પરથી પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવે દ્વારા 10 ટ્રેનો સંપૂર્ણપણે રદ, કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ અને 8 ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનોના સ્ટોપેજ પણ એક દિવસ માટે રદ કરવામાં આવ્યા છે.
10 ટ્રેનો સંપૂર્ણપણે રદ
14 ઓગસ્ટે નીચેની 10 ટ્રેનોનું સંચાલન સંપૂર્ણપણે રદ રહેશે:
- 09433-34 સાબરમતી-પાટણ ડેમુ
- 69207-08 ગાંધીનગર-વરેઠા મેમુ
- 09437-38 મહેસાણા-આબુ ડેમુ
- 09431-32 સાબરમતી-મહેસાણા ડેમુ
- 09509-10 મહેસાણા-વીરમગામ
- 09481-82 મહેસાણા-ભીલડી
- 09475-76 મહેસાણા-પાટણ
- 09435-36 સાબરમતી-પાટણ ડેમુ
- 09483-84 મહેસાણા-પાટણ
- 09511-12 મહેસાણા-વીરમગામ
કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે
બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો તેમના સંપૂર્ણ રૂટ પર નહીં દોડે.
- ટ્રેન નં. 14821-22 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ: આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નં. 20959-60 વલસાડ-વડનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ: ગાંધીનગર કેપિટલ અને વડનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
8 ટ્રેનો વૈકલ્પિક રૂટ પરથી દોડશે
રેલવે કામગીરીને કારણે નીચેની ટ્રેનોને તેમના નિયમિત રૂટને બદલે ડાયવર્ટ કરાયેલા માર્ગ પરથી ચલાવવામાં આવશે:
- 20486 – સાબરમતી-જેસલમેર
- 04173 – પ્રયાગરાજ-વેરાવળ
- 14807 – જોધપુર-દાદર
- 19408 – લાલગઢ-સાબરમતી
- 20953 – ભગત કી કોઠી-એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ
- 19031-32 – સાબરમતી-યોગનગરી ઋષિકેશ
- 19412 – દૌલતપુર ચોક-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ
સિદ્ધપુર અને ઊંઝા સ્ટેશનનું સ્ટોપેજ પણ રદ
14 ઓગસ્ટે ટ્રેન નં. 19031-32 સાબરમતી-યોગનગરી ઋષિકેશ અને ટ્રેન નં. 19412 દૌલતપુર ચોક-ગાંધીનગર કેપિટલનું સિદ્ધપુર અને ઊંઝા સ્ટેશન પરનું સ્ટોપેજ પણ એક દિવસ માટે રદ કરવામાં આવ્યું છે.




Leave a Comment