સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડના અકસ્માતમાં મોતના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ભાભર ગૌશાળા નજીક બાઇક પર જતા સમયે તેઓ અકસ્માતે પડી ગયા હતા. આ ઘટનામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ભાભર ગૌશાળા નજીક અકસ્માત
મળતી માહિતી મુજબ, ભાભર ગૌશાળા નજીક ચંદન રાઠોડ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે તેઓ અકસ્માતે પડી ગયા હતા. ઘટનામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ત્યારબાદ તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી
અકસ્મતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ચંદન રાઠોડ બાઇક પરથી કયા સંજોગોમાં પડ્યા હતા અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત અંગેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવી શકે છે.
‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે બનાવી હતી આગવી ઓળખ
ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવ ગુરુ’ના નામથી જાણીતા હતા. પોતાના અલગ અંદાજ અને કન્ટેન્ટને કારણે તેમણે સોશિયલ મીડિયા પર આગવી ઓળખ બનાવી હતી. તેમના નિધનના સમાચાર સામે આવતા સોશિયલ મીડિયા જગતમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તેમના ફોલોઅર્સ અને તેમને ઓળખતા લોકો દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
અકસ્માતનું ચોક્કસ કારણ તપાસનો વિષય
હાલમાં સામે આવેલી પ્રાથમિક માહિતી પ્રમાણે બાઇક પર જતા સમયે પડી જવાથી ચંદન રાઠોડનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, અકસ્માત પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તપાસ બાદ અકસ્માતને લઈને વધુ વિગતો સામે આવી શકે છે.



