HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

Aravalli News: નદીમાં ઝંપલાવી દંપતીનો બાળક સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિનું મોત

Avatar photo
Updated: 27-08-2025, 12.23 PM

Follow us:

અરવલ્લીમાંથી આજે બુધવારે પતિ-પત્નીએ બાળક સાથે માલુપર પાસેની વાત્રક નદીમાં ઝંપલાવ્યું હતું. બીજી તરફ આ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે સ્થાનિક લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. ત્યારબાદ પોલીસ અને રેસ્કયુ ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

રેસ્ક્યુ ટીમે ત્રણેયને નદીની બહાર કાઢ્યા હતા. જોકે, આ દરમિયાન પતિનું મોત નિપજ્યુ હતું. પત્ની અને બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ઘરકંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન

આ મામલે પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ પત્નીનું નિવેદન અને પોસ્ટ મોર્ટમના રિપોર્ટ આધારે કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરશે.

પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

આ મામલે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.