લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

અર્જુન એવોર્ડની યાદીમાં ક્રિકેટરો ગાયબ! 17 ખેલાડીઓને મળશે સન્માન, ચેસથી લઈને બેડમિન્ટન સુધીના સ્ટાર્સ સામેલ

by

Thenewsdk

Updated: 18-08-2026, 03.42 PM

Follow us:

ભારતીય રમતગમત જગત માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કાર 2026 માટે 17 ખેલાડીઓની પસંદગી કરી છે. દેશની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની ભલામણોના આધારે રમતગમત મંત્રાલયે વિવિધ રમતગમત શ્રેણીઓમાં પુરસ્કારો માટે નામોની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે, કે આ વખતે અર્જુન એવોર્ડની યાદીમાં એક પણ ક્રિકેટરનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

અર્જુન એવોર્ડના 17 વિજેતાઓ
અર્જુન પુરસ્કાર માટે પસંદ કરાયેલા ખેલાડીઓમાં ચેસ વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ, ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતી, ડેકાથલોન અને હાઈ જમ્પના ખેલાડી તેજસ્વિન શંકર, બેડમિન્ટન સ્ટાર ગાયત્રી ગોપીચંદ અને તેમની ડબલ્સ પાર્ટનર ટ્રીસા જોલીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત એથ્લેટિક્સમાં મોહમ્મદ અજમલ વી. અને પ્રિયંકા ગોસ્વામી, બોક્સિંગમાં નરેન્દ્ર, ડેફ શૂટિંગમાં ધનુષ શ્રીકાંત, હોકીમાં લાલરેમસિયામી અને રાજકુમાર પાલ, કબડ્ડીમાં સુર્જીત અને પૂજા, પેરા શૂટિંગમાં રુદ્રાંશ ખંડેલવાલ, પેરા એથ્લેટિક્સમાં એકતા ભ્યાન, રોઇંગમાં અરવિંદ સિંહ તથા શૂટિંગમાં અખિલ શ્યોરાણની પસંદગી કરવામાં આવી છે. ફૂટબોલમાં વિશિષ્ટ યોગદાન બદલ આઈ. અરુમનાયગમને અર્જુન પુરસ્કાર (લાઈફટાઈમ)થી સન્માનિત કરવામાં આવશે.

દ્રોણાચાર્ય એવોર્ડ માટે 5 કોચની પસંદગી
રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રશિક્ષણ આપવા બદલ દ્રોણાચાર્ય પુરસ્કાર માટે એથ્લેટિક્સના પરવીર સિંહ, બોક્સિંગના છોટે લાલ યાદવ અને શૂટિંગના નેહા નંદકુમાર ચૌહાણની પસંદગી કરવામાં આવી છે. જ્યારે દ્રોણાચાર્ય પુરસ્કાર (લાઈફટાઈમ) માટે બોક્સિંગના ધર્મેન્દ્ર સિંહ યાદવ અને કુસ્તીના વીરેન્દ્ર કુમારને પસંદ કરવામાં આવ્યા છે. બંનેએ લાંબા સમયથી રમતગમત ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર પણ જાહેર
રમતગમતને પ્રોત્સાહન આપવા બદલ આર્મી પેરાલમ્પિક નોડ, પુણેને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર રમતગમતના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપતી સંસ્થાઓ અને સંગઠનોને આપવામાં આવે છે.
આ વર્ષે ખેલ રત્ન માટે કોઈ ખેલાડી નહીં
બીજી તરફ, દેશના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે આ વર્ષે કોઈ ખેલાડીની પસંદગી કરવામાં આવી નથી. અર્જુન, દ્રોણાચાર્ય અને અન્ય પુરસ્કારો માટે પસંદ થયેલા વિજેતાઓને ટૂંક સમયમાં યોજાનારા સન્માન સમારંભમાં પુરસ્કાર આપવામાં આવશે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤