શરીરને સ્વસ્થ રાખવા માટે જેટલો જરૂરી પૌષ્ટિક આહાર છે, તેટલી જ જરૂરી પૂરતી ઊંઘ પણ છે. જો તમે હેલ્ધી ખોરાક ખાતા હોવ પરંતુ પૂરતી અને સારી ઊંઘ ન લેતા હોવ, તો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. ખાસ કરીને આજના યુવાનોમાં પૂરતી ઊંઘ ન લેવાને કારણે હાઈ બ્લડ પ્રેશર (High BP) ની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે.
તેથી ઊંઘ સાથે જોડાયેલી ટેવોને મામૂલી ન ગણવી જોઈએ, કારણ કે તેની અસર આપણા મગજ, શરીર અને મન પર પડે છે. સારી ઊંઘ તમને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રાખવાની સાથે શરીરના બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
માત્ર ઊંઘવું પૂરતું નથી, ગુણવત્તા પણ મહત્વની છે
માત્ર પથારીમાં પડ્યા રહેવું કે થોડીવાર ઊંઘી લેવું પૂરતું નથી. તમારી સુવાની દિનચર્યા (Routine), ઊંઘતા પહેલાં તમે શું ખાઓ કે પીઓ છો, તમારી ઊંઘ કેટલા કલાકની છે અને કેવી છે — આ બધું જ ખૂબ માયને રાખે છે.
રાત્રે નસકોરા બોલાવવા કે વારંવાર જાગી જવાની આદત પણ ઊંઘની ગુણવત્તા બગાડે છે. સતત ખરાબ કે અપૂર્ણ ઊંઘ લેવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘણું વધી જાય છે.
શું છે ઊંઘ અને બ્લડ પ્રેશર (BP)નો સંબંધ?
શારદા હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. ભૂમેશ ત્યાગીના જણાવ્યા અનુસાર જ્યારે તમે ઓછી ઊંઘ લો છો ત્યારે શરીરમાં તણાવ અને હોર્મોન્સનું સંતુલન બગડવા લાગે છે. તણાવ પેદા કરતા હોર્મોન્સ વધવાથી હૃદયના ધબકારા ઝડપી બને છે, જે સીધું જ બ્લડપ્રેશર વધારી દે છે.
જો કોઈ વ્યક્તિ પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશરનો દર્દી હોય અને પૂરતી ઊંઘ ન લેતો હોય, તો તે સમય જતાં ધીમે-ધીમે હોર્મોન્સ, હૃદયની ગતિ અને રક્તવાહિનીઓની કાર્યક્ષમતા પર નકારાત્મક અસર પાડે છે.
ઊંઘ પૂરી ન થવાના મુખ્ય લક્ષણો
જ્યારે રાત્રે ઊંઘ પૂરી થતી નથી ત્યારે સવારે ઊઠતાં જ તમારું શરીર કેટલાક સ્પષ્ટ સંકેતો આપવાનું શરૂ કરે છે:
- સુસ્તી અને આળસ: સવારે ઊઠ્યા પછી પણ શરીરમાં થાક, આળસ અને સુસ્તી અનુભવાય.
- આંખોમાં તકલીફ: સવારે ઊઠતી વખતે આંખો ભારે લાગવી કે આંખો લાલ થઈ જવી.
- માથાનો દુખાવો: પૂરતી ઊંઘ ન મળવાના કારણે સવારે સતત માથાનો દુખાવો રહેવો.
- તણાવ: આખી રાત ઊંઘ્યા પછી પણ શરીર રિલેક્સ ન અનુભવે અને મનમાં અસ્વસ્થતા કે બેચેની રહ્યા કરે.




Leave a Comment