હવામાન બદલાય ત્યારે સામાન્ય શરદી, ઉધરસ અને તાવ આવે છે, બિલકુલ તેવી જ રીતે જ્યારે આપણું શરીર અચાનક ભારે ગરમીમાંથી ખૂબ જ ઠંડા વાતાવરણમાં આવે છે, ત્યારે તે આ તાપમાનનો ફેરફાર સહન કરી શકતું નથી અને તેના નુકસાન શરીર પર દેખાવા લાગે છે.
AC કઈ રીતે તમને બીમાર કરી શકે છે?
એર કંડિશનર રૂમનું વાતાવરણ ઠંડું કરે છે, પરંતુ તેની સાથે હવાના ભેજને પણ શોષી લે છે. એસીમાં વધુ સમય વિતાવવાથી શરીર પર આ અસરો જોવા મળે છે:
- શ્વાસનળીમાં શુષ્કતા (Dryness): એસીની ઠંડી અને કોરી હવા શ્વાસનળીને ડ્રાય કરી દે છે. જેને કારણે સતત ઉધરસ, છાતીમાં અકડન, શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં ખરાશ કે બળતરા થઈ શકે છે. અસ્થમાના દર્દીઓ માટે આ સ્થિતિ વધુ ખતરનાક સાબિત થાય છે.
- ત્વચા અને હોઠનું સુકાવું: તાપમાન ઓછું થવાથી વાતાવરણમાં ભેજ ઘટે છે, જેના પરિણામે સ્કીન ડ્રાય થઈ જાય છે. લાંબા સમય સુધી એસીમાં બેસવાથી હોઠ ફાટવા, નાકમાંથી લોહી નીકળવું તેમજ આંખોમાં બળતરા અને ડ્રાયનેસ જેવી સમસ્યાઓ થાય છે.
- શરીરમાં ડીહાઇડ્રેશન (પાણીની કમી): એસી વાળા રૂમમાં પરસેવો થતો નથી પરંતુ શરીર ખૂબ જ ઝડપથી ડીહાઇડ્રેટ થઈ જાય છે. આ કારણે માથાનો દુખાવો, સતત થાક, સ્નાયુઓ અને સાંધાનો દુખાવો તથા મોં સુકાઈ જવાની ફરિયાદ રહે છે.
ACના નુકસાનથી બચવા શું કરવું?
- ફિલ્ટરની સફાઈ: સમય-સમય પર એસીના ફિલ્ટર સાફ કરતા રહો અને નિયમિત મેન્ટેનન્સ કરાવો.
- તાપમાનનો તફાવત: બહારની ગરમી અને રૂમના તાપમાન વચ્ચે બહુ મોટો તફાવત ન રાખો (24થી 26 ડિગ્રી તાપમાન આદર્શ ગણાય છે).
- પાણી પીવાની ટેવ: તરસ ન લાગે તો પણ થોડા-થોડા સમયે પાણી પીતા રહો, જેથી શરીરમાં ડીહાઇડ્રેશન ન થાય.
- સીધો પવન ટાળો: એસીની ઠંડી હવા સીધી શરીર પર ન પડે તેનું ખાસ ધ્યાન રાખો, નહીંતર સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે.
- એર પ્યુરિફાયર: રૂમમાં એર પ્યુરિફાયર અથવા હ્યુમિડિફાયર (Humidifier) નો ઉપયોગ કરવો પણ એક ઉત્તમ વિકલ્પ છે.




Leave a Comment