આ સમગ્ર OTT લિસ્ટમાં ચાહકો માટે સૌથી ખાસ ફિલ્મ થલાપતિ વિજયની ‘જન નાયગન’ છે. આ ફિલ્મ તેમના એક્ટિંગ કરિયરની છેલ્લી ફિલ્મ હોવાનું કહેવાઈ રહ્યું છે. ફિલ્મની થિયેટર રિલીઝ બાદ હવે ચાહકો તેને OTT પર જોવા માટે આતુર છે.
ફિલ્મ 23 જુલાઈ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સૈકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે વિશ્વભરમાં આશરે ₹322.80 કરોડની કમાણી કરી હતી.
21 ઓગસ્ટે Zee5 પર થશે પ્રીમિયર
‘જન નાયગન‘ હવે 21 ઓગસ્ટે Zee5 પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. એચ. વિનોથના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં થલાપતિ વિજય સાથે પૂજા હેગડે, બોબી દેઓલ, મમિતા બૈજુ અને ગૌતમ વાસુદેવ મેનન જેવા કલાકારો જોવા મળશે. ફિલ્મે ભારતમાં આશરે ₹196.97 કરોડ અને વિદેશી બજારમાં ₹93.20 કરોડની કમાણી કરી હોવાનું જણાવવામાં આવ્યું છે.
રિલીઝ પહેલાં અનેક વિવાદોમાં ફસાઈ હતી ફિલ્મ
‘જન નાયગન‘ની રિલીઝ સરળ રહી નહોતી. ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી પ્રમાણપત્ર મળવામાં વિલંબ થયો હતો. આ મામલે નિર્માતાઓએ મદ્રાસ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો.
સેન્સર બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા કેટલાક કાપ બાદ ફિલ્મને આખરે ‘A’ સર્ટિફિકેટ મળ્યું હતું. બીજી તરફ, થિયેટરમાં રિલીઝ થાય તે પહેલાં ફિલ્મ ઓનલાઈન લીક થઈ જતાં નિર્માતાઓની મુશ્કેલીમાં વધુ વધારો થયો હતો.
હવે થિયેટર રિલીઝ બાદ ‘જન નાયગન‘ OTT પર આવવા જઈ રહી હોવાથી થલાપતિ વિજયના ચાહકો માટે આ ફિલ્મને ફરી એકવાર જોવા અને માણવાની ખાસ તક મળશે.




Leave a Comment